કૃષિ મેળો ૨૦૨૪ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૨૧મીથી ત્રિ-દિવસીય રાજ્યકક્ષાનો ભવ્ય કૃષિ મેળો યોજાશે

કૃષિ મેળો ૨૦૨૪ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૨૧મીથી ત્રિ-દિવસીય રાજ્યકક્ષાનો ભવ્ય કૃષિ મેળો યોજાશે

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે રાજ્યકક્ષાના કૃષિ મેળાનું તથા કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી ગીરીરાજ સિંહ એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આશરે 14 વર્ષ બાદ કૃષિ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં રાજ્યના 25000થી વધુ ખેડૂતો આ ત્રીદિવસીય મેળામાં કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે માહિતગાર કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં નવીન સંશોધનો અને નવી ટેકનોલોજી આવી છે, જે અંગે માહિતી આપવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ત્રીદિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આગામી 21 22 અને 23 થી ડિસેમ્બર ના દિવસે નવસારી કૃષિ મેળો યુનિવર્સિટીના પટાંગણમાં યોજાવા જઈ રહ્યો છે,વર્ષ 2009માં છેલ્લો કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો,૧૫માં વર્ષે એટલે કે 2024 માં હવે આયોજન થઈ રહ્યું છે, જેમાં ત્રણ દિવસના કાર્યક્રમમાં અલગ અલગ વિષયો પર ખેડૂતોને માહિતી આપવામાં આવશે.

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી તા. ૨૧/૧૨/૨૦૨૪ ને શનિવારથી રાજ્યકક્ષાનો ત્રિ-દિવસીય ભવ્ય કૃષિ મેળો યોજાશે. નવસારી કૃષિ યુનિવર્સિટી અને સસ્મીરા (ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય)ના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ભવ્ય કૃષિ મેળો અને એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું શનિવારે સવારે ૧૦ કલાકે કેન્દ્રીય મંત્રીઓ ના હસ્તે ઉદ્ઘાટન થશે.કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલ ઉક્ત સમયે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરશે,જ્યારે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી ગિરિરાજ સિંહ એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ થી શરૂ થનારા રાજ્યકક્ષાના કૃષિ મેળાની પ્રાથમિક વિગતો આપતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝીણાભાઈ.પી. પટેલે જણાવ્યું હતું કે, આ ત્રિ-દિવસીય કૃષિ મેળામાં ૨૫ હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ ઉપરાંત ૧૨૦ જેટલા પ્રદર્શન સ્ટોલ અને ૫૦૦ જેટલા ખેડૂત અગ્રણીઓની સહભાગિતા પણ આ કૃષિ મેળાની મુખ્ય વિશેષતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ડો. ઝીણાભાઈ પી. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલનારા આ કૃષિ મેળામાં ખેડૂતો ઉપરાંત પશુપાલકો, કૃષિ ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સહકારી તથા સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેશે. આ ત્રિ-દિવસીય કૃષિ મેળો સવારે ૮ કલાકથી રાતના ૮ કલાક સુધી ખુલ્લો રહેશે.યુનિ.ના કુલપતિ ડો.ઝેડ.પી પટેલે ખેડૂતો સહિત જાહેર જનતાને આ કૃષિ મેળાની મુલાકાત લેવા માટે અને માર્ગદર્શન મેળવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.

મહત્વનું છે કે, ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વિવિધતા તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે સ્થાનિક કક્ષાએ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડૂતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રિક અધિકારી, કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ,કૃષિ ક્ષેત્ર તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. કૃષિ મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલથી ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડૂતો માટે સેમીનાર પણ યોજાય છે અને સરળતાથી જાણકારી મળી રહે તે માટે માહિતીસભર સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવે છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કૃષિ મેળો અને એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે:૧૨૦ પ્રદર્શન સ્ટોલ, ૫૦૦ ખેડૂત અગ્રણીઓ અને ૨૫ હજારથી વધુ ખેડૂતો દ્વારા મુલાકાત એ કૃષિ મેળાની મુખ્ય વિશેષતા

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *