પ્રાકૃતિક ખેતી તરફ સતત અગ્રેસર:સમગ્ર જીવસૃષ્ટિ માટે આવશ્યકતા બની ચૂકેલી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો વિશે જાણો

પ્રાકૃતિક ખેતી તરફ સતત અગ્રેસર:સમગ્ર જીવસૃષ્ટિ માટે આવશ્યકતા બની ચૂકેલી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો વિશે જાણો

પ્રાકૃતિક કૃષિ પ્રત્યે રાજ્ય અને દેશના ખેડૂતોમાં જાગૃતતા આવી છે. મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અને તેના સંબંધિત આયામો અપનાવતા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો થકી આજે ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહાત્મ્ય સારી રીતે સમજી શક્યા છે. પ્રાકૃતિક કૃષિ શું છે?, તેના ફાયદાઓ કેટલા છે? અને તેનું મહત્વ શું છે? – આ અંગે અગાઉ ઘણા અહેવાલો તમે વાંચ્યા હશે, ત્યારે આજના આ ખાસ લેખમાં આપણે પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો વિશે જાણીશું.

પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો

પ્રાકૃતિક ખેત વ્યવસ્થા અપનાવતા ખેડૂત પાસે ઓછામાં ઓછી એક દેશી ગાય હોવી જરૂરી છે. ખેતરના જ સંસાધનોનો ઉપોયગ કરવો, બહારની કે બજારની કોઈ વસ્તુ લાવવી નહીં. બને ત્યાં સુધી જમીનને કોઈ ખલેલ પહોંચાડવી નહીં. જમીનને કુદરતી અવશેષોથી આવરિત રાખવી તેમજ પોષણ વ્યવસ્થા માટે ખેતરમાંથી નીપજેલ અવશેષો તથા લીલો પડવાશ, અળસીયા કે ખેતરમાં જ બનાવેલ છાણીયા ખાતર કે કંપોસ્ટનો ઉપયોગ કરવો. બહારથી કોઈ પણ પ્રકારનું સેન્દ્રિય ખાતર પણ લાવવું નહીં.

તદુપરાંત પાક સંરક્ષણ માટે ખેતર ઉપર જાતે બનાવેલ સંયોજનોનો જ વપરાશ કરવો, બહારથી લાવવા નહીં. પાક કાપણી પછી પાક અવશેષોને બાળવા નહીં, પરંતુ તેનો આવરણ તરીકે પશુ આહાર તરીકે, કંપોસ્ટ તરીકે અથવા અન્ય રીતે ખેતરમાં જ ઉપયોગ કરવો. તથા લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે જ (ગામમાં) જે વેચાણ વ્યવસ્થા ગોઠવવી કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. આ સાથે જ ખેત ઉત્પાદનોના મૂલ્ય વર્ધન માટે સ્થાનિક સ્તરે જ વધુમાં વધુ ગામ લોકોને રોજગારી મળી શકે, તેમના કૌશલ્યનો વિકાસ થાય તેવી વ્યવસ્થાનો આગ્રહ રાખવો. અને અંતમાં, બની શકે તો ફક્ત પાક આધારિત ખેત વ્યવસ્થાની જગ્યાએ સંકલિત ખેત વ્યવસ્થાપન ગોઠવવું.

આમ, પ્રાકૃતિક ખેત વ્યવસ્થા બિન ખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ કૃષિ વ્યવસ્થા છે, જેના થકી ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન થાય છે, ખેતી પોષણક્ષમ કરી શકાય છે અને ખેડૂતનું જીવનધોરણ પણ સુધરી શકે છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *