મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને ભાવિકભક્તો માટે વલસાડ, નવસારી જિલ્લામાં એકસ્ટ્રા બસોનું સંચાલન કરાયું

મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને ભાવિકભક્તો માટે વલસાડ, નવસારી જિલ્લામાં એકસ્ટ્રા બસોનું સંચાલન કરાયું

આજે સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે.

આજે મહાશિવરાત્રી તા.૨૬/૦૨/૨૦૨૫, મહાવદ તેરસ નિમિત્તે વલસાડ વિભાગના ડેપો નજીક આવેલ વિવિધ ગામોના મંદિરોમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ, નવસારી જિલ્લાના વિવિધ ગામોથી ભાવિકભક્તો મેળામાં ભાગ લેવા સહિત આસપાસના શિવાલયોમાં દર્શનાર્થે જતા હોય છે.

જેને અનુલક્ષીને વલસાડ અને નવસારી જિલ્લાના એસટી બસ વિભાગના જુદા જુદા ડેપોથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસાર મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.

જેમાં નવસારી થી કછોલી સુધી, બીલીમોરા થી કછોલી, બીલીમોરા-ચીખલી થી ભૈરવી/નાંધઈ મંદિર, ધરમપુર થી ભૈરવી/નાંધઈ મંદિર, વલસાડ-ખેરગામ ચોકડી થી ભૈરવી/નાંધઈ મંદિર, વલસાડ થી ઘડોઈ આમ, આ એક્સ્ટ્રા બસોનું સંચાલન આજરોજ કરવામાં આવ્યું છે. જેનો તમામ ભાવિકભક્તોને લાભ લેવા વિભાગીય નિયામક, એસ.ટી.વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *