મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને ભાવિકભક્તો માટે વલસાડ, નવસારી જિલ્લામાં એકસ્ટ્રા બસોનું સંચાલન કરાયું

મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને ભાવિકભક્તો માટે વલસાડ, નવસારી જિલ્લામાં એકસ્ટ્રા બસોનું સંચાલન કરાયું

આજે સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે.

આજે મહાશિવરાત્રી તા.૨૬/૦૨/૨૦૨૫, મહાવદ તેરસ નિમિત્તે વલસાડ વિભાગના ડેપો નજીક આવેલ વિવિધ ગામોના મંદિરોમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ, નવસારી જિલ્લાના વિવિધ ગામોથી ભાવિકભક્તો મેળામાં ભાગ લેવા સહિત આસપાસના શિવાલયોમાં દર્શનાર્થે જતા હોય છે.

જેને અનુલક્ષીને વલસાડ અને નવસારી જિલ્લાના એસટી બસ વિભાગના જુદા જુદા ડેપોથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસાર મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.

જેમાં નવસારી થી કછોલી સુધી, બીલીમોરા થી કછોલી, બીલીમોરા-ચીખલી થી ભૈરવી/નાંધઈ મંદિર, ધરમપુર થી ભૈરવી/નાંધઈ મંદિર, વલસાડ-ખેરગામ ચોકડી થી ભૈરવી/નાંધઈ મંદિર, વલસાડ થી ઘડોઈ આમ, આ એક્સ્ટ્રા બસોનું સંચાલન આજરોજ કરવામાં આવ્યું છે. જેનો તમામ ભાવિકભક્તોને લાભ લેવા વિભાગીય નિયામક, એસ.ટી.વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *