સતિમાળ અને આછવાણી ગામે આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપ અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા

સતિમાળ અને આછવાણી ગામે આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપ અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા

નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં આંબા પાકનું ખુબ બહોળી પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે. અને મોટા ભાગનાં ખેડુતો આંબા પાક પર આર્થિક રીતે નિર્ભર છે. માર્ચ- એપ્રીલ મહિનામાં એટલે કે ઉનાળાની શરૂઆતથી જ આંબા પાકમાં ફળમાખીના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મે મહિનાથી ઓગષ્ટ મહિનાં દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની માદા માખી ફળની છાલની નીચે ઈંડા મુકે છે જેથી કાંણામાંથી રસ જરે છે. ઈંડા મુકેલ જગ્યાએથી ફળનો વિકાસ અટકી જવાથી ફળની સપાટી પર દબાયેલ ખાડા જોવા મળે છે. અનુકુળ પરિસ્થિતિમાં ઈંડામાંથી કીડા નીકળી ફળનો ભાગ ખાવાનું શરૂ કરે છે. પરીણામે ફળની ગુણવતા પર માઠી અસર પડે છે. અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે તથા બજાર ભાવ પર અસર પડે છે. કુલ ઉત્પાદનનો લગભગ ૧૫% બગાડ ફળમાખીનાં લીધે થાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ફળમાખીનાં સામુહિક નિયંત્રણ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાનાં સતિમાળ અને આછવાણી ગામે ફળમાખીનાં નિયંત્રણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે દ્વારા તાજેતરમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામોનાં આંબાની વાડીઓ ધરાવતા ખેડુતોને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધીત નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપનાં ઉપયોગ અંગે કેન્દ્રના વૈજ્ઞાનીક દ્વારા વિસ્તૃત માર્ગદર્શિત કરી ફળમાખીના નિદર્શનો અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *