સતિમાળ અને આછવાણી ગામે આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપ અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા

સતિમાળ અને આછવાણી ગામે આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપ અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા

નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં આંબા પાકનું ખુબ બહોળી પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે. અને મોટા ભાગનાં ખેડુતો આંબા પાક પર આર્થિક રીતે નિર્ભર છે. માર્ચ- એપ્રીલ મહિનામાં એટલે કે ઉનાળાની શરૂઆતથી જ આંબા પાકમાં ફળમાખીના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મે મહિનાથી ઓગષ્ટ મહિનાં દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની માદા માખી ફળની છાલની નીચે ઈંડા મુકે છે જેથી કાંણામાંથી રસ જરે છે. ઈંડા મુકેલ જગ્યાએથી ફળનો વિકાસ અટકી જવાથી ફળની સપાટી પર દબાયેલ ખાડા જોવા મળે છે. અનુકુળ પરિસ્થિતિમાં ઈંડામાંથી કીડા નીકળી ફળનો ભાગ ખાવાનું શરૂ કરે છે. પરીણામે ફળની ગુણવતા પર માઠી અસર પડે છે. અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે તથા બજાર ભાવ પર અસર પડે છે. કુલ ઉત્પાદનનો લગભગ ૧૫% બગાડ ફળમાખીનાં લીધે થાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ફળમાખીનાં સામુહિક નિયંત્રણ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાનાં સતિમાળ અને આછવાણી ગામે ફળમાખીનાં નિયંત્રણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે દ્વારા તાજેતરમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામોનાં આંબાની વાડીઓ ધરાવતા ખેડુતોને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધીત નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપનાં ઉપયોગ અંગે કેન્દ્રના વૈજ્ઞાનીક દ્વારા વિસ્તૃત માર્ગદર્શિત કરી ફળમાખીના નિદર્શનો અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *