સતિમાળ અને આછવાણી ગામે આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપ અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા

સતિમાળ અને આછવાણી ગામે આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપ અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા

નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં આંબા પાકનું ખુબ બહોળી પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે. અને મોટા ભાગનાં ખેડુતો આંબા પાક પર આર્થિક રીતે નિર્ભર છે. માર્ચ- એપ્રીલ મહિનામાં એટલે કે ઉનાળાની શરૂઆતથી જ આંબા પાકમાં ફળમાખીના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મે મહિનાથી ઓગષ્ટ મહિનાં દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની માદા માખી ફળની છાલની નીચે ઈંડા મુકે છે જેથી કાંણામાંથી રસ જરે છે. ઈંડા મુકેલ જગ્યાએથી ફળનો વિકાસ અટકી જવાથી ફળની સપાટી પર દબાયેલ ખાડા જોવા મળે છે. અનુકુળ પરિસ્થિતિમાં ઈંડામાંથી કીડા નીકળી ફળનો ભાગ ખાવાનું શરૂ કરે છે. પરીણામે ફળની ગુણવતા પર માઠી અસર પડે છે. અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે તથા બજાર ભાવ પર અસર પડે છે. કુલ ઉત્પાદનનો લગભગ ૧૫% બગાડ ફળમાખીનાં લીધે થાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ફળમાખીનાં સામુહિક નિયંત્રણ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાનાં સતિમાળ અને આછવાણી ગામે ફળમાખીનાં નિયંત્રણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે દ્વારા તાજેતરમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામોનાં આંબાની વાડીઓ ધરાવતા ખેડુતોને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધીત નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપનાં ઉપયોગ અંગે કેન્દ્રના વૈજ્ઞાનીક દ્વારા વિસ્તૃત માર્ગદર્શિત કરી ફળમાખીના નિદર્શનો અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *