“કૃષિ પ્રગતિ” એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો:ડિજીટલ ટેકનોલોજી કૃષિક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે:જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા

“કૃષિ પ્રગતિ” એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો:ડિજીટલ ટેકનોલોજી કૃષિક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે:જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા

આજના ટેકનોલોજીના યુગમા દેશમા દરેક ક્ષેત્રે રોજિંદા ધોરણે અવનવા સંશોધનો થઇ રહ્યા છે તથા AI ના યુગમાં મોબાઇલ ફોનની પહોંચ દેશના લગભગ દરેક વ્યક્તિનાં હાથવગી થઇ રહી છે ત્યારે કૃષિક્ષેત્ર પણ અન્ય ક્ષેત્રો સાથે કદમતાલ મિલાવી રહ્યુ છે. ગુજરાત રાજ્યનાં ખેડુતોએ હાલપર્યંત સુધી મશીનરી ક્ષેત્રે થયેલ પ્રગતિને ખુલ્લા હાથે અપનાવી છે, પરંતુ ગુજરાત રાજ્ય ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલુ હોઇ વારંવાર થતી કુદરતી આફતો સામે ખેડુતો લાચાર હતા. જેને સરકારે ખુબ જ ગંભીરતાથી લઇ ત્વરાથી કૃષિભવન, ગાંધીનગર ખાતે કમાન્ડ એંડ કંટ્રોલ સેન્ટર ચાલુ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર અને Coforge નાં સંયુક્ત પ્રયાસોથી કેંદ્ર સરકારની ડિજીટલ ક્રોપ સર્વે, ફાર્મર રજીસ્ટ્રી જેવા ફ્લેગશીપ પ્રોજેક્ટનાં અમલીકરણમાં ગુજરાત રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે, તેમજ હાલમાં જ ખેડુતોપયોગી “કૃષિ પ્રગતિ” એપ ખેડુતોને ખુબ જ ઉપયોગી થઇ રહી છે. જેની તાલીમ જિલ્લાનાં પાયાનાં કાર્યકરોને મળી રહે તે હેતુથી તાલીમ વર્કશોપનું આયોજન સ્વામી વિવેકાનંદ હોલ, અસ્પી કોલેજ ઓફ હોર્ટીકલ્ચર, નકૃયુ, નવસારી ખાતે કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલાતા દ્વારા જિલ્લાનાં કૃષિ સ્ટાફને “કૃષિ પ્રગતિ” એપ વિશે જિલ્લાનાં ખેડુતોને માહિતગાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા DCS, Agristack farmer Registry અને કૃષિ પ્રગતિ એપ જેવી ટેકનોલોજી કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે એમ આશા વ્યક્ત કરી હતી.

આ સાથે વર્કશોપમાં Coforgeના અધિકારીઓ દ્વારા હાલમાં ખાતા દ્વારા ઝુંબેશ રૂપે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ જેવા કે ડિજીટલ ક્રોપ સર્વે તેમજ એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. જેમાં સેટેલાઈટ બેઝ્ડ રિમોટ સેન્સીંગ આધારિત પાક વાવેતર વિસ્તાર એસ્ટીમેશન, પાક પરિસ્થિતી આધારિત રોગ જીવાતની શક્યતાઓને ધ્યાને લઈ ખેડૂતોને માહિતગાર કરવા તથા હવામાનના બદલાવ અને તેની પાક ઉપર થનાર અસરો બાબતે સેટેલાઈટ બેઝ્ડ રિમોટ સેન્સીંગ થી માહિતી કઇ રીતે મેળવી શકાય અને કઇ રીતે તેનો ઉપયોગ કરી શકાય અને ખેડૂતોને આગોતરું આયોજન કરવા મદદરૂપ થઈ શકાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા ખાસ હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. એ. આર. ગજેરા, કે.વી.કે., નવસારીનાં વડા ડો. કિંજલ શાહ, જિલ્લાનાં તમામ ખેતી વિભાગનાં અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો તેમજ જિલ્લામાંથી ઘણા પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા. આ વર્કશોપમા તાલીમ અધિકારી તરીકે કૃષિભવન ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી Coforgeના ટીમ લીડર કૃપાલ પરમાર તથા  પ્રથમેશભાઇ કાશિદએ સેવા આપી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *