નવસારીમાં માનવતાની મિસાલ: ગરીબ બાળકનું નિ:શુલ્ક ઓપરેશન કરી બચાવ્યો જીવ

નવસારીમાં માનવતાની મિસાલ: ગરીબ બાળકનું નિ:શુલ્ક ઓપરેશન કરી બચાવ્યો જીવ

માનવતા હજી મરી નથી પરવાળી તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય ક્રિશ વિનોદ પાટીલને તીવ્ર પેટદર્દ શરૂ થતાં ખબર પડી કે તેને એપેન્ડિક્સની ગંભીર તકલીફ છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક હોવાને કારણે તાત્કાલિક સારવાર શક્ય નહોતી. બાળકના પિતા અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવી ચૂક્યા છે અને રોજિંદું ભોજન પણ મુશ્કેલીથી મેળવી શકે છે.

આ સંજોગોમાં માનવતાની ઝાંખી દર્શાવતા નવસારી સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ રિતેશ શામવાનીએ વ્યક્તિગત ખર્ચે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. ત્યાં RMO ડૉ. લાલા ચૌધરીએ તત્કાલ આયુષ્માન કાર્ડ તૈયાર કરાવી આપ્યું અને બાળકના તબીબી ખર્ચ માટે પગલાં ભર્યા હતા.

ડૉ. લાલા ચૌધરીએ નિ:શુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરી અને માત્ર થોડા સમયની અંદર સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજના જમાનામાં જ્યાં દરેક વસ્તુ વ્યાવસાયિક બનતી જાય છે, ત્યાં આવી લાગણીસભર સેવા સાચી માનવતા બતાવે છે.

 

આ સમગ્ર ઘટનાએ નવસારીમાં માનવતાના જીવન્ત ઉદાહરણ રૂપે સામે આવ્યું છે. સમય પર કરવામાં આવેલી કામગીરી અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહારના લીધે એક નિર્દોષ બાળકીનો જીવ બચી ગયો હતો જે સાબિત કરે છે કે સંકટ સમયે માનવી જ માનવીનો સહારો બની શકે છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

1 Comments

  • Good work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *