પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ

પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ

આજના સમયમાં આતંકવાદ સમગ્ર દુનિયાનો સૌથી ભયાનક અને ક્રૂર દુશ્મન બની ગયો છે. વિશેષ કરીને ભારત પર વારંવાર થતાં આતંકી હુમલાઓ દેશના નાગરિકોમાં આક્રોશ, દુઃખ અને અસહાયતાની ભાવનાઓ ઉદભવાવે છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા નિર્દય આતંકી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ નાગરિકો પણ શહીદ થયા છે.આ નિર્દોષ લોકોની હત્યા માત્ર માનવતા નહીં, પણ સમગ્ર દેશની શાંતિ માટે પડકારરૂપ છે.

આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લાગણી ઉદ્ભવી છે. નવસારી શહેરમાં પણ આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. નાગરિકોએ શહીદ ચોક ખાતે ભેગા થઈ પાકિસ્તાનના ઝંડા અને પુતળાં દહન કર્યા તેમજ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

https://youtu.be/M7vh00PKizg?si=vjeEAK_gmd49z7K_

નવસારીના સુગ્ન નાગરિકોએ  “ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોજોઈએ” તેમજ પાકિસ્તાન વિરુદ્ધ નારાઓ જેવા ઉગ્ર નારા લગાવ્યા અને સરકાર સમક્ષ માંગ રજુ કરી કે હવે આતંકવાદ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.આ ઘટનાએ દેશને ફરીથી જાગૃત બનાવ્યો છે કે હવે ધીરજની હદ ઓવરાઈ ચૂકી છે. નવસારીની જનતાની માગ છે કે આતંકવાદ અને તેને આશરો આપનારા દેશો સામે ભારતે કડક અભિગમ અપનાવીને દ્રઢ નિર્ણય લેવો જોઈએ.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *