પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ

પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ

આજના સમયમાં આતંકવાદ સમગ્ર દુનિયાનો સૌથી ભયાનક અને ક્રૂર દુશ્મન બની ગયો છે. વિશેષ કરીને ભારત પર વારંવાર થતાં આતંકી હુમલાઓ દેશના નાગરિકોમાં આક્રોશ, દુઃખ અને અસહાયતાની ભાવનાઓ ઉદભવાવે છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા નિર્દય આતંકી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ નાગરિકો પણ શહીદ થયા છે.આ નિર્દોષ લોકોની હત્યા માત્ર માનવતા નહીં, પણ સમગ્ર દેશની શાંતિ માટે પડકારરૂપ છે.

આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લાગણી ઉદ્ભવી છે. નવસારી શહેરમાં પણ આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. નાગરિકોએ શહીદ ચોક ખાતે ભેગા થઈ પાકિસ્તાનના ઝંડા અને પુતળાં દહન કર્યા તેમજ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

https://youtu.be/M7vh00PKizg?si=vjeEAK_gmd49z7K_

નવસારીના સુગ્ન નાગરિકોએ  “ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોજોઈએ” તેમજ પાકિસ્તાન વિરુદ્ધ નારાઓ જેવા ઉગ્ર નારા લગાવ્યા અને સરકાર સમક્ષ માંગ રજુ કરી કે હવે આતંકવાદ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.આ ઘટનાએ દેશને ફરીથી જાગૃત બનાવ્યો છે કે હવે ધીરજની હદ ઓવરાઈ ચૂકી છે. નવસારીની જનતાની માગ છે કે આતંકવાદ અને તેને આશરો આપનારા દેશો સામે ભારતે કડક અભિગમ અપનાવીને દ્રઢ નિર્ણય લેવો જોઈએ.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *