પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ

પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ

આજના સમયમાં આતંકવાદ સમગ્ર દુનિયાનો સૌથી ભયાનક અને ક્રૂર દુશ્મન બની ગયો છે. વિશેષ કરીને ભારત પર વારંવાર થતાં આતંકી હુમલાઓ દેશના નાગરિકોમાં આક્રોશ, દુઃખ અને અસહાયતાની ભાવનાઓ ઉદભવાવે છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા નિર્દય આતંકી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ નાગરિકો પણ શહીદ થયા છે.આ નિર્દોષ લોકોની હત્યા માત્ર માનવતા નહીં, પણ સમગ્ર દેશની શાંતિ માટે પડકારરૂપ છે.

આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લાગણી ઉદ્ભવી છે. નવસારી શહેરમાં પણ આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. નાગરિકોએ શહીદ ચોક ખાતે ભેગા થઈ પાકિસ્તાનના ઝંડા અને પુતળાં દહન કર્યા તેમજ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

https://youtu.be/M7vh00PKizg?si=vjeEAK_gmd49z7K_

નવસારીના સુગ્ન નાગરિકોએ  “ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોજોઈએ” તેમજ પાકિસ્તાન વિરુદ્ધ નારાઓ જેવા ઉગ્ર નારા લગાવ્યા અને સરકાર સમક્ષ માંગ રજુ કરી કે હવે આતંકવાદ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.આ ઘટનાએ દેશને ફરીથી જાગૃત બનાવ્યો છે કે હવે ધીરજની હદ ઓવરાઈ ચૂકી છે. નવસારીની જનતાની માગ છે કે આતંકવાદ અને તેને આશરો આપનારા દેશો સામે ભારતે કડક અભિગમ અપનાવીને દ્રઢ નિર્ણય લેવો જોઈએ.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *