પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ

પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ નવસારીજ્નોએ શહીદ ચોક ખાતે પાકિસ્તાનું પૂતળું દહન તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું: જુઓ વિડિઓ

આજના સમયમાં આતંકવાદ સમગ્ર દુનિયાનો સૌથી ભયાનક અને ક્રૂર દુશ્મન બની ગયો છે. વિશેષ કરીને ભારત પર વારંવાર થતાં આતંકી હુમલાઓ દેશના નાગરિકોમાં આક્રોશ, દુઃખ અને અસહાયતાની ભાવનાઓ ઉદભવાવે છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા નિર્દય આતંકી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ નાગરિકો પણ શહીદ થયા છે.આ નિર્દોષ લોકોની હત્યા માત્ર માનવતા નહીં, પણ સમગ્ર દેશની શાંતિ માટે પડકારરૂપ છે.

આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લાગણી ઉદ્ભવી છે. નવસારી શહેરમાં પણ આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. નાગરિકોએ શહીદ ચોક ખાતે ભેગા થઈ પાકિસ્તાનના ઝંડા અને પુતળાં દહન કર્યા તેમજ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

https://youtu.be/M7vh00PKizg?si=vjeEAK_gmd49z7K_

નવસારીના સુગ્ન નાગરિકોએ  “ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોજોઈએ” તેમજ પાકિસ્તાન વિરુદ્ધ નારાઓ જેવા ઉગ્ર નારા લગાવ્યા અને સરકાર સમક્ષ માંગ રજુ કરી કે હવે આતંકવાદ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.આ ઘટનાએ દેશને ફરીથી જાગૃત બનાવ્યો છે કે હવે ધીરજની હદ ઓવરાઈ ચૂકી છે. નવસારીની જનતાની માગ છે કે આતંકવાદ અને તેને આશરો આપનારા દેશો સામે ભારતે કડક અભિગમ અપનાવીને દ્રઢ નિર્ણય લેવો જોઈએ.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *