નવસારી રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે

નવસારી રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે

નવસારી જિલ્લા રેડક્રોસ શાખાના ચેરમેન તુષારકાંત દેસાઈ 13મી મે, 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત વાર્ષિક સભામાં વર્ષ 2022-23 માટેના “એવોર્ડ ઓફ મેરીટ સર્ટિફિકેટ”થી સન્માનિત થનાર છે.

તુષાર દેસાઈએ છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી રેડક્રોસમાં સ્વયંસેવક, ટ્રેઝરર, માનદ મંત્રી, વાઇસ ચેરમેન અને હાલમાં ચેરમેન તરીકે અનોખી અને નિસ્વાર્થ સેવા આપી છે. માનવતાના સેવક તરીકે, તેમણે જરૂરિયાતમંદો માટે સતત કાર્ય કર્યું છે અને 60 વર્ષની ઉંમર સુધી સ્વયં રક્તદાન કરીને અનેક લોકોને પ્રેરણા આપી છે.

મોરબીની મચ્છુ ડેમ દુર્ઘટના, વાગરાના દુકાળ, કંડલાનું વાવાઝોડું અને નવસારી-સુરત જિલ્લાના અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ દરમ્યાન તેમણે રાહતકાર્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

તુષાર દેસાઈના પ્રયત્નોથી “બ્લડ ઓન કોલ” અને “જીવન રક્ષક દાતા” જેવી લોકકલ્યાણકારી યોજનાઓનો પ્રારંભ થયો છે. નવસારી જિલ્લા રેડક્રોસને ગુજરાતમાં સૌપ્રથમવાર એન.એ.બી.એચ. પ્રમાણપત્ર મળવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. સાથે જ થેલેસેમિયા, સિકલ સેલ, એઈડ્સ જાગૃતિ અને સી.પી.આર. તાલીમ જેવા અનેક કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ અને શિક્ષણ કાર્ય પણ સફળતાપૂર્વક અમલમાં મૂકાયું છે.

તેમના નેતૃત્વમાં જુનિયર અને યુથ રેડક્રોસની પ્રવૃત્તિઓએ પણ રાજ્ય કક્ષાએ ઘણીવાર શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડ મેળવી લીધા છે. નવસારી જિલ્લાની અંતરિયાળ વિસ્તારોમાં રક્ત સંગ્રહ કેન્દ્રો સ્થાપીને લોકોને તાત્કાલિક સેવા પહોંચાડવાના તેમના પ્રયાસોને પણ વિશિષ્ટ પ્રોત્સાહન મળ્યું છે.

તુષારકાંત દેસાઈના રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત આ સન્માન બદલ રેડક્રોસની વ્યવસ્થાપક સમિતિ, હોદ્દેદારો, સ્ટાફ પરિવાર અને સામાજિક અગ્રણીઓએ તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *