નવસારીમાં ભયંકર વાવાઝોડું અને વરસાદ: વૃદ્ધનું પતરા તૂટી પડવાથી ગંભીર ઈજાઓ પહોંચતા ધટનાસ્થળ પર જ મોત: જુઓ વિડિઓ

નવસારીમાં ભયંકર વાવાઝોડું અને વરસાદ: વૃદ્ધનું પતરા તૂટી પડવાથી ગંભીર ઈજાઓ પહોંચતા ધટનાસ્થળ પર જ મોત: જુઓ વિડિઓ

નવસારી જિલ્લાના વિજલપોર ખાતે આવેલા શ્યામનગર વિસ્તારમાં આજે ભયંકર વાવાઝોડા અને વરસાદના કારણે દુઃખદ ઘટના બની છે. 75 વર્ષીય સોમનાથ શિંપી તેમના ઘરમાં હતા ત્યારે છતના પતરા તૂટી પડતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથા અને પગમાં ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું છે.

પરિવારજનોએ આર્થિક સહાય માંગ

વૃદ્ધના પરિવારજનોએ આ દુર્ઘટનાને ધ્યાનમાં લઈ સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગ ઉઠાવી છે. અવ્યવસ્થાને સામે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે અનેક ઝાડ તૂટી પડ્યાં છે.નવસારી ફાયર બ્રિગેડને 10 જેટલા કોલ મળ્યા છે અને મહાનગરપાલિકાની ટીમો માર્ગ પરથી ઝાડ હટાવવાની કામગીરીમાં લાગી ગઈ છે. અનેક કાચા મકાન અને રસ્તાઓ પર ઝાડ પડતા જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે.

નવસારી જિલ્લાના લોકોને આકસ્મિક ઘટના ટાળવા માટે સાવચેત રહેવાની વહીવટીતંત્રએ અપીલ કરવામાં આવી છે. લોકો ઘરમાં જ રહેવાની અને બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

પ્રકૃતિના આ તાંડવને પહોંચી વળવા માટે વધુ મજબૂત વ્યવસ્થાઓનું તંત્ર દ્વારા આયોજન કરવું જરૂરી બન્યું છે. આવી દુર્ઘટનાઓ ટાળવા માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.જેથી લોકોનો જીવ બચાવી શકાય.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *