નવસારીમાં ભયંકર વાવાઝોડું અને વરસાદ: વૃદ્ધનું પતરા તૂટી પડવાથી ગંભીર ઈજાઓ પહોંચતા ધટનાસ્થળ પર જ મોત: જુઓ વિડિઓ

નવસારીમાં ભયંકર વાવાઝોડું અને વરસાદ: વૃદ્ધનું પતરા તૂટી પડવાથી ગંભીર ઈજાઓ પહોંચતા ધટનાસ્થળ પર જ મોત: જુઓ વિડિઓ

નવસારી જિલ્લાના વિજલપોર ખાતે આવેલા શ્યામનગર વિસ્તારમાં આજે ભયંકર વાવાઝોડા અને વરસાદના કારણે દુઃખદ ઘટના બની છે. 75 વર્ષીય સોમનાથ શિંપી તેમના ઘરમાં હતા ત્યારે છતના પતરા તૂટી પડતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથા અને પગમાં ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું છે.

પરિવારજનોએ આર્થિક સહાય માંગ

વૃદ્ધના પરિવારજનોએ આ દુર્ઘટનાને ધ્યાનમાં લઈ સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગ ઉઠાવી છે. અવ્યવસ્થાને સામે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે અનેક ઝાડ તૂટી પડ્યાં છે.નવસારી ફાયર બ્રિગેડને 10 જેટલા કોલ મળ્યા છે અને મહાનગરપાલિકાની ટીમો માર્ગ પરથી ઝાડ હટાવવાની કામગીરીમાં લાગી ગઈ છે. અનેક કાચા મકાન અને રસ્તાઓ પર ઝાડ પડતા જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે.

નવસારી જિલ્લાના લોકોને આકસ્મિક ઘટના ટાળવા માટે સાવચેત રહેવાની વહીવટીતંત્રએ અપીલ કરવામાં આવી છે. લોકો ઘરમાં જ રહેવાની અને બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

પ્રકૃતિના આ તાંડવને પહોંચી વળવા માટે વધુ મજબૂત વ્યવસ્થાઓનું તંત્ર દ્વારા આયોજન કરવું જરૂરી બન્યું છે. આવી દુર્ઘટનાઓ ટાળવા માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.જેથી લોકોનો જીવ બચાવી શકાય.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *