પેન્શનરો માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ:ગુજરાતના પેન્શનરોને હવે લાઈફ સર્ટિફિકેટ માટે બેંક કે કચેરી જવાની જરૂર નહીં રહે:રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે અહિં લાભ

પેન્શનરો માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ:ગુજરાતના પેન્શનરોને હવે લાઈફ સર્ટિફિકેટ માટે બેંક કે કચેરી જવાની જરૂર નહીં રહે:રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે અહિં લાભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પેન્શનરોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડીલ પેન્શનરોને આવવા જવા માં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હયાતી ના પ્રમાણપત્ર(જીવન પ્રમાણ પત્ર) ની પ્રક્રિયા સરળ બનાવી છે.

હવે રાજ્ય સરકાર પેન્શનરોના ઘરના સરનામે જઈને હયાતી ના પ્રમાણ પત્ર ની સેવા નિ:શુલ્ક આપશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ડાક વિભાગ સાથે સમજુતી કરાર (MOU) કરવામાં આવેલ છે. આ સેવા ભારતીય ડાક વિભાગ ના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંતર્ગત પોસ્ટના કર્મચારીઓ દ્વારા પેન્શનરોના ઘરે જઈને સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે હયાતી ની ચકાસણી (જીવન પ્રમાણપત્ર) કરવામાં આવશે.

પેન્શનરોને મદદરૂપ થવા માટે આ સેવા વધારાના વિકલ્પરૂપે શરૂ કરવામાં આવી છે. જીવન પ્રમાણ પત્ર માટેના અગાઉથી ચાલતા અન્ય વિકલ્પો યથાવત રહેશે. આ ઉપરાંત પેન્શનરો “પોસ્ટ ઇન્ફો “ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ આ સેવા માટે વિનંતી મોકલી શકે છે. ત્યારબાદ પોસ્ટમેન /ડાક સેવક પેન્શનર ના ઘરે આવી ને આખી પ્રક્રિયા પૂર્ણ કરશે. નવસારી જીલ્લા માં કુલ ૨૫૦ થી ૨૯૦ જેટલા પોસ્ટમેન/ ગ્રામીણ ડાક સેવકો આ સેવા માટે કાર્યરત રહેશે. વધુ માહિતી માટે નવસારી પોસ્ટલ ડીવીઝન હેઠળ ચાલતી આપની નજીકની કોઈ પણ પોસ્ટ ઓફીસ શાખા નો સંપર્ક કરવો.

 

 

 

 

 

 

 

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *