પેન્શનરો માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ:ગુજરાતના પેન્શનરોને હવે લાઈફ સર્ટિફિકેટ માટે બેંક કે કચેરી જવાની જરૂર નહીં રહે:રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે અહિં લાભ

પેન્શનરો માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ:ગુજરાતના પેન્શનરોને હવે લાઈફ સર્ટિફિકેટ માટે બેંક કે કચેરી જવાની જરૂર નહીં રહે:રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે અહિં લાભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પેન્શનરોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડીલ પેન્શનરોને આવવા જવા માં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હયાતી ના પ્રમાણપત્ર(જીવન પ્રમાણ પત્ર) ની પ્રક્રિયા સરળ બનાવી છે.

હવે રાજ્ય સરકાર પેન્શનરોના ઘરના સરનામે જઈને હયાતી ના પ્રમાણ પત્ર ની સેવા નિ:શુલ્ક આપશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ડાક વિભાગ સાથે સમજુતી કરાર (MOU) કરવામાં આવેલ છે. આ સેવા ભારતીય ડાક વિભાગ ના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંતર્ગત પોસ્ટના કર્મચારીઓ દ્વારા પેન્શનરોના ઘરે જઈને સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે હયાતી ની ચકાસણી (જીવન પ્રમાણપત્ર) કરવામાં આવશે.

પેન્શનરોને મદદરૂપ થવા માટે આ સેવા વધારાના વિકલ્પરૂપે શરૂ કરવામાં આવી છે. જીવન પ્રમાણ પત્ર માટેના અગાઉથી ચાલતા અન્ય વિકલ્પો યથાવત રહેશે. આ ઉપરાંત પેન્શનરો “પોસ્ટ ઇન્ફો “ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ આ સેવા માટે વિનંતી મોકલી શકે છે. ત્યારબાદ પોસ્ટમેન /ડાક સેવક પેન્શનર ના ઘરે આવી ને આખી પ્રક્રિયા પૂર્ણ કરશે. નવસારી જીલ્લા માં કુલ ૨૫૦ થી ૨૯૦ જેટલા પોસ્ટમેન/ ગ્રામીણ ડાક સેવકો આ સેવા માટે કાર્યરત રહેશે. વધુ માહિતી માટે નવસારી પોસ્ટલ ડીવીઝન હેઠળ ચાલતી આપની નજીકની કોઈ પણ પોસ્ટ ઓફીસ શાખા નો સંપર્ક કરવો.

 

 

 

 

 

 

 

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *