નવસારીમાં જૂના ફૂટ ઓવરબ્રિજને તોડવાના તેમજ વલસાડ નવા બની રહેલા બ્રિજ કામને લઇ ટ્રેન બ્લોક, કેટલીક ટ્રેનો રદ તો કેટલીક મોડી થશે

નવસારીમાં જૂના ફૂટ ઓવરબ્રિજને તોડવાના તેમજ વલસાડ નવા બની રહેલા બ્રિજ કામને લઇ ટ્રેન બ્લોક, કેટલીક ટ્રેનો રદ તો કેટલીક મોડી થશે

નવસારી શહેરમાં રેલવે સ્ટેશને આવેલા વર્ષો જૂના ફૂટ ઓવરબ્રિજ ને તોડી પાડવાની કામગીરીના કારણે આગામી 26 અને 27 મેના રોજ રેલવે ટ્રેક પર ટ્રેન બ્લોક અમલમાં લાવવામાં આવશે. આ કામગીરી દરમિયાન બે મેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કુલ 11 ટ્રેનો તેમના નિયત સમય કરતાં મોડી થશે.

નવસારી જ નહીં, વલસાડમાં પણ નવા બની રહેલા બ્રિજ પર ગર્ડર મૂકવાના કામને લીધે આ બ્લોક લેવામાં આવ્યો છે. ખાસ કરીને નવસારીના ફૂટબ્રિજના મધ્યના ભાગને હટાવવાની કામગીરી માટે બે દિવસ બ્લોક રહેશે. વલસાડ-અતુલ વચ્ચેના ટ્રેક પર ગર્ડર લગાવવાનું કામ પણ આ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

રદ થનારી ટ્રેનો:

69153 ઉમરગામ રોડ-વલસાડ મેમુ

69154 વલસાડ-ઉમરગામ રોડ મેમુ

મોડી થનારી ટ્રેનો (તારીખ મુજબ):

25 મે:

12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ – 1 કલાક 50 મિનિટ

22195 ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ – 25 મિનિટ

19567 તુતીકોરીન-ઓખા એક્સપ્રેસ – 1 કલાક 50 મિનિટ

26 મે:

19015 દાદર-પોરબંદર એક્સપ્રેસ – 20 મિનિટ

22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ – 1 કલાક 30 મિનિટ

12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ – 1 કલાક 50 મિનિટ

19028 જમ્મુ તાવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – 1 કલાક 30 મિનિટ

22195 ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ – 30 મિનિટ

27 મે:

19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ – 25 મિનિટ

09003 મુંબઈ સેન્ટ્રલ-દિલ્હી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ – 30 મિનિટ

22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ – 1 કલાક 30 મિનિટ

યાત્રીઓએ ભવિષ્યનાં યાત્રા આયોજનમાં આ ફેરફારનો ધ્યાનમાં રાખે તેવી અપીલ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *