પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું નિધન, 54 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું નિધન, 54 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા મુકુલ દેવ હવે આ દુનિયામાં નથી રહ્યા. એવું કહેવાય છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમણે 54 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું.

લોકપ્રિય અભિનેતા મુકુલ દેવ હવે આ દુનિયામાં નથી. આ અભિનેતાનું 23 મેના રોજ 54 વર્ષની વયે અવસાન થયું હતું. મુકુલ દેવની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી બગડી રહી હતી, જેના કારણે તેઓ ICUમાં હતા. મુકુલ દેવના મૃત્યુના સમાચાર મળતા જ સિનેમા અને ટીવી ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો. એક પછી એક સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દીપશિખા નાગપાલ ભાવુક થઈ ગઈ

ટીવી અભિનેત્રી દીપશિખા નાગપાલે સોશિયલ મીડિયા દ્વારા મુકુલ દેવના નિધન પર શોક વ્યક્ત કર્યો. અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્વર્ગસ્થ અભિનેતા સાથેનો એક ફોટો શેર કર્યો અને અભિનેતાના નિધન પર શોક અને આઘાત વ્યક્ત કર્યો. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું – ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો મુકુલ… ભગવાન તારા આત્માને શાંતિ આપે.’

વિંદુ દારા સિંહે શ્રદ્ધાંજલિ આપી

‘સન ઓફ સરદાર’માં મુકુલ દેવ સાથે કામ કરનાર વિંદુ દારા સિંહે પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. અભિનેતાએ થોડા કલાકો પહેલા મુકુલ સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે સન ઓફ સરદારમાં મુકુલ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. હવે તે જ વિડીયોને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફરીથી પોસ્ટ કરતા, વિંદુ દારા સિંહે લખ્યું – ‘ભગવાન તારા આત્માને શાંતિ આપે, મુકુલ.’

મુકુલ દેવની અભિનય કારકિર્દી

તમને જણાવી દઈએ કે, મુકુલ દેવે ૧૯૯૬ માં અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેમણે ટીવી સીરિયલ ‘મુમકીન’ માં વિજય પાંડેની ભૂમિકા ભજવીને પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. આ પછી તે દૂરદર્શનના કોમેડી શો ‘એક સે બધકર એક’માં પણ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે કહાની ઘર ઘર કી, કહીં દિયા જલે કહીં જિયા જેવા શોમાં પણ કામ કર્યું હતું. તેમના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેમણે ‘દસ્તક’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમની કારકિર્દીમાં, તેઓ ‘આર રાજકુમાર’, ‘સન ઓફ સરદાર’, ‘વજુદ’, ‘ભાગ જોની’, ‘જય હો’ અને ‘ક્રિએચર 3D’ જેવી ફિલ્મોમાં પણ કામ કરતા જોવા મળ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *