‘એક પેડ માં કે નામ’ ૨.૦ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અને નવસારી મહાનગરપાલિકા દ્વારા મોબાઇલ એપ્લિકેશન ખુલ્લી મુકી વૃક્ષરથને પ્રસ્થાન કરાવાયું

‘એક પેડ માં કે નામ’ ૨.૦ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અને નવસારી મહાનગરપાલિકા દ્વારા મોબાઇલ એપ્લિકેશન ખુલ્લી મુકી વૃક્ષરથને પ્રસ્થાન કરાવાયું

મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન નોંધણી કરાવી ફક્ત ૫-૭ દિવસમાં વિનામૂલ્યે પોતાના ઘરે રોપા મેળવો

સામાજિક વનીકરણ વિભાગ નવસારી અને નવસારી મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે નવસારી શહેરમાં ‘એક પેડ માં કે નામ’ ૨.૦ અંતર્ગત જાહેર જનતા માટે મોબાઇલ એપ્લિકેશન ખુલ્લી મૂકવામાં આવી તથા વિનામૂલ્યે રોપ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ હતું. આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા શહેરના કોઈ પણ નાગરિક, સંસ્થા કે ઉદ્યોગ યુનિટ જરૂરિયાત પ્રમાણે એપ્લિકેશન પર જઈ નોંધણી કરાવી રોપાની માંગણી કરી શકશે અને ૫-૭ દિવસમાં વિનામૂલ્યે તેમના ઘરે અથવા સંસ્થામાં રોપ પહોચાડવામાં આવશે.

આજના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષરથને નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, નવસારી નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ઉર્વશી પ્રજાપતિ તથા નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે લીલી જંડી આપી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *