આર્યા પ્રોજેકટ અંતર્ગત ગોટલીનાં મુખવાસ બનાવટની તાલીમ યોજાઈ

આર્યા પ્રોજેકટ અંતર્ગત ગોટલીનાં મુખવાસ બનાવટની તાલીમ યોજાઈ

નવસારી જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રે આર્થિક ઉપાર્જનનાં સ્ત્રોતો વધે અને ખેતીલક્ષી વ્યવસાયો થકી ગ્રામીણ યુવાનો પગભર બને તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા આર્યા પ્રોજેકટ હેઠળ ગ્રામીણ મહિલાઓ માટે કેરીનાં ગોટલાની ગોટલીના મુખવાસ બનાવટની તા. ૧૯/૦૬/૨૦૨૫ નાં રોજ તાલીમ યોજાઈ. જેમાં તાલીમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ.કિંજલ શાહે ખેડૂત મહિલાઓ દ્વારા કેરીનાં મૂલ્યવર્ધનની થતી પ્રવૃતિઓને બિરદાવી તેની ફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન માટે સૂચનો કરાયાં હતા.

કેન્દ્રનાં બાગાયત વૈજ્ઞાનિક દિક્ષીતા પ્રજાપતિએ દક્ષિણ ગુજરાતનાં કલ્પવૃક્ષ એવા આંબા આધારીત કૃષિ વ્યવસાયો વિશે વિસ્તૃત છણાવટ કરી. ગૃહ વૈજ્ઞાનિક નિતલ પટેલે ગોટલીનાં મુખવાસ બનાવટનું પધ્ધતિ નિદર્શન દ્વારા પ્રેકટીકલ માર્ગદર્શન આપ્યું. અબ્રામા ગામનાં પ્રગતિશીલ ખેડૂત બેલાબેને કેરીનાં મૂલ્યવર્ધનથી મેળવેલ સફળતા વિશે પોતાના અનુભવો જણાવ્યા. તાલીમમાં તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો આપી સંતોષ સાથે આભાર વ્યકત કર્યો. આ તાલીમમાં વેડછા, અબ્રામા, કરાડી,બોદાલી, મંદિર ગામની ૩૦ ખેડૂત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *