૧૯મી જૂન ૨૦૨૫ વિશ્વ સિકલસેલ દિવસ:આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઇ

૧૯મી જૂન ૨૦૨૫ વિશ્વ સિકલસેલ દિવસ:આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઇ

૧૬૯ વિઘાર્થીઓને સિકલસેલ એનિમીયા વિશે માહિતગાર કરી પોષણ યુક્ત આહાર કિટનું વિતરણ કરાયું

“સિકલસેલ નિર્મૂલન અભિયાન” અંતર્ગત “વિશ્વ સિકલસેલ દિવસ”ની ઉજવણી આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે “વિશ્વ સિકલ સેલ દિવસ” ની ઉજવણી દરમ્યાન ૧૬૯ વિઘાર્થીઓને સિકલસેલ એનિમીયા વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્ર્મ દરમ્યાન વિઘાર્થીઓની સિકલસેલ તપાસ કરવામાં આવી હતી. સિકલસેલ ડિસીઝ વિદ્યાર્થીઓને પોષણ યુક્ત આહાર કિટનું વિતરણ કરી આહાર વિષયક રાખવાની વિશેષ સમજણ સિકલસેલ એનિમીયા કંટ્રોલ ઓફીસર ડૉ.ભાવેશભાઇ એસ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જિલ્લા આર સી એચ અધિકારી ડૉ.રાજેશ પટેલ દ્વારા પ્રીનેટલ ડાયગ્નોસીસ તેમજ સમાજમાંથી સિકલસેલ કેવી રીતે નાબુદ કરી શકાય તેની વિશેષ સમજણ આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના દિશાસૂચન હેઠળ આજરોજ જિલ્લાના તમામ ૪૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ કેમ્પ જેમાં સિકલસેલ ડીસીઝ દર્દીઓની અને સગર્ભા માતાઓની મેડીકલ તપાસ,હિમોગ્લોબીનની તપાસ અને કાઉન્સેલીંગ કરવામાં આવી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી નવસારી તથા મેડિકલ ઓફિસર મુનસાડ તેમજ ઇનચાર્જ આચાર્ય શ્રીમતી ચેતનાબેન કે બારીયા, શિક્ષકગણ, એપીએમ ડૉ.જયદિપ તેમજ સિકલસેલ કાઉન્સેલર અને PHC સ્ટાફ “સિકલ સેલ નિર્મૂલન અભિયાન “અંતર્ગત “વિશ્વ સિકલ સેલ દિવસ” ની ઉજવણીમાં સહભાગી થયા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *