૧૯મી જૂન ૨૦૨૫ વિશ્વ સિકલસેલ દિવસ:આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઇ

૧૯મી જૂન ૨૦૨૫ વિશ્વ સિકલસેલ દિવસ:આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઇ

૧૬૯ વિઘાર્થીઓને સિકલસેલ એનિમીયા વિશે માહિતગાર કરી પોષણ યુક્ત આહાર કિટનું વિતરણ કરાયું

“સિકલસેલ નિર્મૂલન અભિયાન” અંતર્ગત “વિશ્વ સિકલસેલ દિવસ”ની ઉજવણી આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે “વિશ્વ સિકલ સેલ દિવસ” ની ઉજવણી દરમ્યાન ૧૬૯ વિઘાર્થીઓને સિકલસેલ એનિમીયા વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્ર્મ દરમ્યાન વિઘાર્થીઓની સિકલસેલ તપાસ કરવામાં આવી હતી. સિકલસેલ ડિસીઝ વિદ્યાર્થીઓને પોષણ યુક્ત આહાર કિટનું વિતરણ કરી આહાર વિષયક રાખવાની વિશેષ સમજણ સિકલસેલ એનિમીયા કંટ્રોલ ઓફીસર ડૉ.ભાવેશભાઇ એસ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જિલ્લા આર સી એચ અધિકારી ડૉ.રાજેશ પટેલ દ્વારા પ્રીનેટલ ડાયગ્નોસીસ તેમજ સમાજમાંથી સિકલસેલ કેવી રીતે નાબુદ કરી શકાય તેની વિશેષ સમજણ આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના દિશાસૂચન હેઠળ આજરોજ જિલ્લાના તમામ ૪૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ કેમ્પ જેમાં સિકલસેલ ડીસીઝ દર્દીઓની અને સગર્ભા માતાઓની મેડીકલ તપાસ,હિમોગ્લોબીનની તપાસ અને કાઉન્સેલીંગ કરવામાં આવી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી નવસારી તથા મેડિકલ ઓફિસર મુનસાડ તેમજ ઇનચાર્જ આચાર્ય શ્રીમતી ચેતનાબેન કે બારીયા, શિક્ષકગણ, એપીએમ ડૉ.જયદિપ તેમજ સિકલસેલ કાઉન્સેલર અને PHC સ્ટાફ “સિકલ સેલ નિર્મૂલન અભિયાન “અંતર્ગત “વિશ્વ સિકલ સેલ દિવસ” ની ઉજવણીમાં સહભાગી થયા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *