ગણપતિ બાપા મોરયા કેમ કહેવાય છે ?

ગણપતિ બાપા મોરયા કેમ કહેવાય છે ?

મોરયા ગોસાવી સંતની ગણેશ ભકિતથી બાપા મોરયા કહેવાય છે: મોરયા ગોસાવીએ પુનાના ચિંચવડ ખાતે જીવંત સમાધિ લીધેલી છે – અમી ચિંતન મહેતા

અષ્ટવિનાયક ગણપતિ

સદ્ગુરુ મોરયા ગોસાવી આ દેશના સૌથી પરમસિધ્ધ અને પરમોચ્ચ ગણેશજીના અનન્ય ભકત હતા અને ૪૫૦ વર્ષ પહેલા ઍમણે ચિંચવડ પુના ખાતે જીવંત સમાધિ લીધી હતી અને કહેવાય છે કે સમાધિ પછી પણ દોઢસો વર્ષ તેઓ જીવંત હતા. મહારાષ્ટ્રમાં ચિંચવડ- મોરયા ગોસાવી સમાધિ સ્થાન અત્યંત જાગૃત મનાય છે. મોરયા ગોસાવીની અદ્ભૂત ગણેશ સાધના અને સિધ્ધિઓને કારણે પ્રતિવર્ષ ગણપતિ વિસર્જનમાં અને પ્રત્યેક વેળા ‘ગણપતિ બાપા મોરયા’ એમ મોરયા ગોસાવી સંતને લીધે જ ‘બાપા મોરયા’ બોલાય છે


દેશ અને દુનિયાના ગણેશ ભકતોમાં હંમેશા ભાવપૂર્વક ઉચ્ચાર થાય છે કે ‘ ગણપતિ બાપા મોરયા’. પણ બાપા મોરયા કેમ કહેવાયા ? ઍનો બહુ ઓછાને ખ્યાલ હોય એવું નમ્રપણે માનવું છે. મુંબઈ, થાણા, અમદાવાદ,રાજકોટ,ગોધરા,સુરત,વડોદરા,વલસાડ,ભરૂચ સહિત નવસારીમાં પણ ગણેશોત્સવ દરમ્યાન સેંકડો હરખઘેલા ભાવિકો અને ઉત્સુકો ગણેશોત્સવના ડેકોરેશન અને વિધન્હર્તા મંગલકર્તા દૂંદાળા દેવ શ્રીજીની અવનવી અને મનોહર-કલાત્મક પ્રતિમાઓને નિહાળવા અને દર્શન કરવા ઉમટે છે.
ગણેશ વિસર્જનનો દિવસ એટલે સરકારી તંત્રને કપાળે સૌથી મોટી કરચલી કે વિધન્હર્તાનું વિસર્જન નિર્વિધન્ને થશે કે કેમ? અત્ર, તત્ર, સર્વત્ર ડીજેની ધૂમ, આકાશ ગજવી નાંખે એવા ગગનભેદી નારાઓ ‘ગણપતિ બાપા મોરયા પૂઢચ્યા વર્ષી લવકર યા’! ફરી થી ગણપતિ બાપાની પાછળ મોરયા કેમ કહેવાયું તેનો ઈતિહાસ આ પ્રમાણે છે.
સમગ્ર દુનિયાના ગણેશ ભકતોમાં ચિંચવડ-પુના સૌથી અગત્યનું સ્થાન છે. તેવી જ રીતે પુનાની આજુબાજુ આઠ ગણપતિઓ અષ્ટવિનાયક કહેવાયા છે. દુનિયામાં બધા દેવ ઘણા બધાને વિપુલ પ્રમાણમાં પ્રસન્ન થયા, સાક્ષાત્કાર થયો એવી વાતો આપણે સાંભળીએ છીએ પરંતુ આપણા સહિત બાળકોના સૌથી વ્હાલા ‘ “My Little Ganesha” કેટલાને પ્રસન્ન થયા એવા નામો ઝટ મળતા નથી. પુના નજીકના ચિંચવડ ખાતે ૪૫૦ વર્ષથી જેમની
સમાધિ છે અને આ સમાધિ અત્યંત જાગૃત સમાધિ અને ગણેશજીનું દુનિયાનું સૌથી ચમત્કારિક અને પવિત્ર સ્થળ મનાય છે. મોરયા ગોસાવી નામના સંતે ગણેશની ભકિત કરતા કરતા સ્વયં ગણપતિ સ્વરૂપ બની ગયા હતા અને તેમની અનેક સિધ્ધિઓ અને
જબરદસ્ત ગણેશ સાધના-તપથી તેઓ ગણપતિનો પર્યાય થઈ ગયા હતા. કહેવાય છે કે જીવતા સમાધિમાં ઉતરી જઈ એવો આદેશ કે મારી સમાધિ કદાપિ ખોલવી નહિ અને સમાધિમાં ઉતર્યા પછી પણ ૧૫૦ વર્ષ તેઓ પ્રાણમય હતા. એવું ગણેશ ભકતો કહે છે.એમની જબરદસ્ત લીલાઓને કારણે તેઓ ગણપતિનો પર્યાય બની જતા આપણે સહુ જાણ્યે અજાણ્યે ગણપતિ બાપા મોરયા ઍમ કહીએ છીએ. બાપા પાછળનું મોરયા એ

મોરયા ગોસાવી સંતની અમર ગાથા છે. ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમનો સમયગાળો સન ૧૩૩૦થી ૧૫૫૬ ગણે છે. જ્યારે બીજી કથા ઍમણે સન ૧૬૫૧માં સમાધિ લીધી એમ કહે છે. મોરયા ગોસાવીનો જન્મ બીડર (કર્ણાટક) અથવા મોરગાંવ
(મહારાષ્ટ્ર) ઍમ કહેવાય છે. મોરગાંવ ખાતે મોરયા ગોસાવીને બાળપણથી જ ગણપતિ પ્રત્યે અપાર આકર્ષણ અને તેઓ ઉત્તરોત્તર ગણપતિની કઠોર સાધના કરવા લાગ્યા હતા.
તેમણે ગણપતિની સેવા અને આરાધનામાં ખૂબ જ આનંદ આવતો હતો. કહેવાય છે તેમનો પરિવાર પુના નજીકના પીંપરી ખાતે વસવાટ કરતો અને ત્યાથી ચિંચવડ ૬૪ કિલોમીટર દૂર છે.

પીંગલે નામના પરિવારે મોરયા ગોસાવીને હડધૂત કરી મંદિરમાંથી કાઢી મૂકતા તેમણે એક વૃક્ષ નીચે તપસ્યા કરી હતી. પીંગલે પરિવારને રાત્રે સ્વપ્નમાં ગણેશજીએ દર્શન દઈ જણાવ્યું હતું કે મોરયા ગોસાવી મારો સૌથી પવિત્ર અને ઉચ્ચકોટિનો સાધક છે. તેને પરેશાન ન કરશો આથી પીંગલે પરિવારે તાબડતોબ તેમને મોરગાંવ લઈ આવ્યા હતા.
ત્યારબાદ મોરયા ગોસાવીએ ચિંચવડ જવાની ના પાડી હતી પરંતુ નદીમાં ન્હાતી વેળા એમના ખોબામાં અંજલિ લેતા તેમના ખોબામાં ગણેશજીની મૂર્તિ પ્રગટ થઈ હતી જે કોઠારેશ્વર ગણપતિ નામે જાણીતી છે. જેનો પણ મહિમા અપરંપાર છે.
મોરગાંવના મુખી મોરયા ગોસાવીની શુધ્ધ ભકિત અને કઠોર પહેલા મોરયા ગોસાવી સંતની ગણેશ ભકિતથી તપસ્યાથી રોજ એમને એક ગ્લાસ દૂધ આપતા હતા. એકવાર આ મુખી ગેરહાજર હતા
ત્યારે એક આંધળી છોકરીએ તેમને દૂધનો ગ્લાસ આપવા જતાં સંત મોરયા ગોસાવીનો હાથનો સ્પર્શ થતાં જ તે દેખતી થઈ ગઈ હતી આ ચમત્કારે મોરયા ગોસાવીની કીર્તિ ચોમેર પ્રસરી જવા પામી હતી. મરાઠા સરદાર શિવાજી મહારાજ પણ એમને વખતો વખત દાન દક્ષિણા આપતા તેમજ મોગલ સમ્રાટ ઐારંગઝેબે તેમને પરીક્ષા કરવા ગૌમાંસ મોકલતા સંત મોરયા ગોસાવીની અલૌકિક ચમત્કારીક શકિતથી તે ગૌમાંસ ચમેલીના ફૂલોથી ભરાયેલી છાબ બની ગયું હતું. સંત મોરયા ગોસાવી એટલા બધા ગણેશમય હતા કે મંદિરનો પુજારી બારણાં ખોલે તે પહેલા મોરયા ગોસાવીના તાજા પુષ્પો દેવને ચઢી જતા અને દેવની કિંમતી મોતી માળા મોરયા ગોસાવીના ગળામાં આરોપાય જતી. તેમને આવો ચમત્કાર થતાં જેલમાં પણ પૂર્યા અને તેવા જ ચમત્કારથી તે મુક્ત પણ થયા અને ચિંચવડમાં પોતાના ઘરે અદ્ભૂત ગણેશજીનો પથ્થર તેની પૂજા કરતા કહે છેકે સ્વયંભૂ ગણપતિ આ પથ્થરમાં પ્રગટ થયા હતા.

સંત મોરયા ગોસાવી થેઉરના અષ્ટવિનાયક, રાંઝણ ગાંવ મહા ગણપતિ,ચિંચવડ ગણપતિ વિગેરેના સતત દર્શન કરતાં અને તેમના ગુરુએ તેમને ગોવિંદરાવ કુલકર્ણી નામની પવિત્ર પરિવારની પુત્રી ઉમા સાથે લગન્ કરવાનું જણાવતાં તેઓ ચિંચવડના તાથવાડે ગામમાં રહ્યા હતા. કાળક્રમે માતાનું અવસાન ગુરુ દ્વારા સમાધિ વિગેરે ઘટનાઓ પછી તેમણે એક પવિત્ર પુસ્તક લઈ જીવતા જીવ સમાધિમાં ઉતરી ગયા હતા અને તેમના દિકરા ચિંતામણી વિગેરેને સ્પષ્ટ જણાવ્યું હતું કે સમાધિ કદાપિ ખોલવી નહી. આથી પિતાની આજ્ઞાના પાલન રૂપે તેમના સમાધિ ઉપર મંદિર બનાવાયું હતું. સંત કવિ તુકારામે પણ તેમને દેવ ગણતા સંત મોરયા ગોસાવીની પેઢીઓમાં દેવ શબ્દ પણ નામ પાછળ લાગ્યો હતો.                                          આમ સમગ્ર દુનિયામાં મોરયા ગોસાવીની પેઢીએ અને સંતાનોએ સમગ્ર જીવન અને સમગ્ર શ્વાસોચ્છશ્વાસમાં ગણેશ આરાધના સિવાય બીજું કંઈ નહી કરતા ઍક મહાન સંત મોરયા ગોસાવી આજે અમર થઈ ગયા છે અને જ્યાં જ્યાં ગણપતિનું નામ લેવાય તેની સાથે એમની અમર ગાથા રૂપે આપણે સહુ ‘ગણપતિ બાપા મોરયા’ બોલી વંદના કરીએ છીએ. બોલો,ગણપતિ બાપા મોરયા.ચિંચવડ પુના ખાતે અત્યંત જાગૃત ગણાતી દેશ અને દુનિયાભરમાં ગણેશ ભકતોની આસ્થા ભરી મોરયા ગોસાવી સંતની સમાધિ ઉપર ગણેશજી રિધ્ધિ-સિધ્ધિ સાથે નજરે પડે છે. જ્યારે સમાધિ નીચે ભોîયરામાં સંત મોરયા ગોસાવી સાક્ષાત ગણેશ સ્વરૂપે સૂતેલી અવસ્થામાં દર્શન આપતા હોય છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *