નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી  ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

નવસારી નગરપાલિકા-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો  પ્રવેશ કરી શકશે નહિ. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં તા.૧૨/૦૩/૨૦૨૩ થી તા.૦૯/૦૬/૨૦૨૩ સુધી ગુડઝ  તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો સવારે ૮-૦૦ થી બપોરે ૧૩-૦૦ કલાક સુધી તેમજ સાંજે ૧૬-૦૦ કલાક થી ૨૧-૦૦ કલાક સુધી કોઇપણ રસ્તાથી પ્રવેશ કરવા તેમજ  અવર-જવર કરવા પર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ વાહનોમાં સરકારી-અર્ધ સરકારી કામે રોકાયેલ વાહનો4 આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો, પોલીસ વાહનો, સ્કુલ બસ,ઍમ્બ્યુલન્સ, ઍસ.ટી.બસ,ફાયરના વાહનો, વિદ્યાર્થી પ્રવાસ બસ,લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામાંમાંથી મુકિત રહેશે. ખાસ કિસ્સાઓમાં ઉકત પ્રતિબંધિત સમય દરમિયાન કોઇ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોએ નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાર્ટર, નવસારી તથા પોલીસ ઇન્સ્પેકટર, ટ્રાફિક શાખા નવસારીનાઓની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે. આ હુકમનો ભંગ કર્યે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કસુરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *