નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી  ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

નવસારી નગરપાલિકા-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો  પ્રવેશ કરી શકશે નહિ. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં તા.૧૨/૦૩/૨૦૨૩ થી તા.૦૯/૦૬/૨૦૨૩ સુધી ગુડઝ  તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો સવારે ૮-૦૦ થી બપોરે ૧૩-૦૦ કલાક સુધી તેમજ સાંજે ૧૬-૦૦ કલાક થી ૨૧-૦૦ કલાક સુધી કોઇપણ રસ્તાથી પ્રવેશ કરવા તેમજ  અવર-જવર કરવા પર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ વાહનોમાં સરકારી-અર્ધ સરકારી કામે રોકાયેલ વાહનો4 આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો, પોલીસ વાહનો, સ્કુલ બસ,ઍમ્બ્યુલન્સ, ઍસ.ટી.બસ,ફાયરના વાહનો, વિદ્યાર્થી પ્રવાસ બસ,લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામાંમાંથી મુકિત રહેશે. ખાસ કિસ્સાઓમાં ઉકત પ્રતિબંધિત સમય દરમિયાન કોઇ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોએ નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાર્ટર, નવસારી તથા પોલીસ ઇન્સ્પેકટર, ટ્રાફિક શાખા નવસારીનાઓની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે. આ હુકમનો ભંગ કર્યે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કસુરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *