નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી  ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

નવસારી નગરપાલિકા-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો  પ્રવેશ કરી શકશે નહિ. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં તા.૧૨/૦૩/૨૦૨૩ થી તા.૦૯/૦૬/૨૦૨૩ સુધી ગુડઝ  તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો સવારે ૮-૦૦ થી બપોરે ૧૩-૦૦ કલાક સુધી તેમજ સાંજે ૧૬-૦૦ કલાક થી ૨૧-૦૦ કલાક સુધી કોઇપણ રસ્તાથી પ્રવેશ કરવા તેમજ  અવર-જવર કરવા પર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ વાહનોમાં સરકારી-અર્ધ સરકારી કામે રોકાયેલ વાહનો4 આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો, પોલીસ વાહનો, સ્કુલ બસ,ઍમ્બ્યુલન્સ, ઍસ.ટી.બસ,ફાયરના વાહનો, વિદ્યાર્થી પ્રવાસ બસ,લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામાંમાંથી મુકિત રહેશે. ખાસ કિસ્સાઓમાં ઉકત પ્રતિબંધિત સમય દરમિયાન કોઇ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોએ નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાર્ટર, નવસારી તથા પોલીસ ઇન્સ્પેકટર, ટ્રાફિક શાખા નવસારીનાઓની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે. આ હુકમનો ભંગ કર્યે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કસુરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *