ભારતીય નેવી હેલિકોપ્ટર: નેવી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, ત્રણ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યા

ભારતીય નેવી હેલિકોપ્ટર: નેવી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, ત્રણ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યા

ભારતીય નૌકાદળના એક હેલિકોપ્ટરે મુંબઈ કિનારે અરબી સમુદ્રમાં પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. રાહતની વાત છે કે ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેના કારણે તેને પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. નૌકાદળના પેટ્રોલિંગ જહાજ દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરીના પરિણામે ત્રણ ક્રૂ સભ્યોનો સુરક્ષિત બચાવ થયો. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Sorce:https://twitter.com/indiannavy/status/1633349245007970308?s=19

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
ઉત્તરાયણ દરમિયાન અબોલા પક્ષીઓના રક્ષણ માટે નવસારીમાં કરુણા અભિયાન ૨૦૨૬ શરૂ

ઉત્તરાયણ દરમિયાન અબોલા પક્ષીઓના રક્ષણ માટે નવસારીમાં કરુણા અભિયાન…

નવસારી જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાની ઘટનાઓ અટકાવવા તથા ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર દ્વારા તેમનો જીવ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *