“કુપોષણ મુક્ત” નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
- Local News
- April 1, 2023
- No Comment
“કુપોષણ મુક્ત નવસારી” અંતર્ગત આજરોજ નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં તમામ બાળકોને સૌના સહિયારા પ્રયાસથી કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો. કુપોષણ મુકત બનાવવાના અભિયાનમાં સરપંચો, એન.જી.ઓ., આંગણવાડી વર્કરો તેમજ ગામ તથા સોસાયટીના આગેવાનોનો સહયોગ લઇ જનઆંદોલનરૂપે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. રેડ ઝોન કે યલો ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. કુપોષણમુક્ત નવસારી કાર્યક્રમનો મુખ્ય આશય છે કે, યલો ઝોન વાળા બાળકો ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી સૌએ કરવાની છે. જિલ્લાના તમામ અધિકારીઓને આંગણવાડીની મુલાકાત લઇ, બાળકને પોષણયુકત આહાર તેમજ તેની સમયસર આરોગ્ય તપાસ થાય તેની વિશેષ કાળજી રાખી અંગત રસ દાખવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે ” કુપોષણ મુક્ત નવસારી ” અન્વયે જરૂરી માર્ગર્દશન આપ્યું હતું.
આ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.