નવસારી કસ્બાપાર ખાતે મુખ્યમંત્રીના ખાતમુહૂર્ત કાર્યક્રમને અનુલક્ષીને વાહનોની અવરજવર પર પ્રતિબંધ : વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો 

નવસારી કસ્બાપાર ખાતે મુખ્યમંત્રીના ખાતમુહૂર્ત કાર્યક્રમને અનુલક્ષીને વાહનોની અવરજવર પર પ્રતિબંધ : વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. ૧૮/૦૪/૨૦૨૩ ના રોજ નવસારીના કસ્બાપાર ખાતે ટાઈડલ ડેમના ખાતમુહૂર્ત તથા જાહેરસભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ મળેલી સત્તાની રૂએ મહાનુભાવોના કોન્વોય રૂટ પર કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે તા.૧૮/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૬-૦૦ કલાકથી સમગ્ર કાર્યકમ પૂર્ણ થાય ત્યાં સુધી નાના મોટા વાહનનો અવર જવર પર પ્રતિબંધિત /ડાયવર્ઝન કરવામાં આવ્યા છે

જે અંતર્ગત નવસારી જિલ્લાના નવસારી તાલુકાના બે માર્ગોને પ્રતિબંધિત કરાયા છે જેમાં ધોળાપીપળા ઓવરબ્રીજથી આમરી કસ્બાપાર થી કસ્બા ત્રણ રસ્તા થઈ મરોલી તથા માણેકપોર ત્રણ રસ્તા તરફ આવતા– જતા વાહનો પર પ્રતિબંધ, નવસારીથી વિરાવળ પુલ–માણેકપોર ત્રણ રસ્તા–કસ્બાપાર રસ્તા થઈ મરોલી ચાર રસ્તા પર આવતા– જતા વાહનો પર પ્રતિબંધતા.૧૮ /૦૪ /૨૦૨૩ ના રોજ સવારે કલાક ૬-૦૦ કલાક થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ પ્રતિબંધિત માર્ગોના વૈકલ્પિક માર્ગો તરીકે ધોળાપીપળા ઓવરબ્રીજ થઈ કસ્બા ત્રણ રસ્તા થઈ મરોલી તરફ જતા વાહનો માટે ધોળાપીપળા ઓવર બ્રીજથી નેશનલ હા.નં .૪૮ થઈ વેસ્મા ચાર રસ્તા થઈ ડાભેલ ગામ થઈ મરોલી તરફ જઈ શકશે . ધોળાપીપળા ઓવરબ્રિજ થઈ કસ્બા ત્રણ રસ્તા થઇ નવસારી તરફ જતા વાહનો માટે ધોળાપીપળા ઓવરબ્રીજથી ને.હા.નં.૪૮ પર ગ્રીડ ચાર રસ્તાથી નવસારી તરફ જઈ શકશે. નવસારી વિરાવળ પુલ– માણેકપોર-કસ્બા ત્રણ રસ્તા થઇ મરોલી ચાર રસ્તા પર જતા વાહનો નવસારીથી જુનાથાણા સર્કલ–કાલીયાવાડી–ગ્રીડ ચાર રસ્તા ને.હા.નં.૪૮ વેસ્મા ચાર રસ્તા થઇ ડાભેલ ગામ થઈ મરોલી તરફ જઈ શકશે એ ઉપરાંત માણેકપોર ગામ થઇ ટંકોલી થઇ મરોલી તરફ જઈ શકશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *