નવસારી અને સુરતના રહીશો એવા અનાવિલ પરિવારજનો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ના પ્રવાસે જતા ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના મોત બે ગંભીર અને અન્ય 10 વ્યક્તિઓને નાની મોટી ઈજા

નવસારી અને સુરતના રહીશો એવા અનાવિલ પરિવારજનો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ના પ્રવાસે જતા ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના મોત બે ગંભીર અને અન્ય 10 વ્યક્તિઓને નાની મોટી ઈજા

નવસારીના સાઈ મંદિર દાદા ટટુ મહોલ્લા ખાતે રહેતા જાણીતા બિલ્ડર મેહુલ અરવિંદભાઈ દેસાઈ તથા તેમના સુરત સ્થિત ભાઈ ડો.સમીર દેસાઈ વિગેરે પરિવારજનો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ના પ્રવાસે ટેમ્પો ટ્રાવેલર GJ 27 X 8800 માં જતા હતા.

તે વેળાએ કરજણ નદી પાસે મોટા રસ્તા ખાતે ઉભી રહેલી એક ટ્રકમાં ટેમ્પો ટ્રાવેલર ચાલક સોહીલ ભાલડીયાએ ટેમ્પો ટ્રાવેલર પરનો કાબુ ગુમાવી ધડાકાભર અકસ્માત કરી દેતા પ્રવાસનો આનંદ કરુણ આક્રંદ માં ફેરવાઈ ગયો હતો.

ડો.સમીર અને મેહુલ દેસાઈના સગા એવા અમેરિકાથી ગત સપ્તાહે જ આવેલા 24 વર્ષના યુવાન ચિત્રાંગ દેસાઈનું આ અકસ્માતમાં કમ કમાટી ભર્યું મોત થયું છે આ ઘટનાની સાથો સાથ ટેમ્પો ચાલક સોહિલનું પણ મૃત્યુ થવા પામ્યું છે આ લખાય છે

 

 

ત્યારે ડોક્ટર સમીરના ધર્મપત્ની ડોક્ટર મીરા સમીર દેસાઈ તથા અન્ય એક વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ મહાવીર હોસ્પિટલ સુરત ખાતે છે બાકીની 10 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોમાં ઉત્સવી મેહુલ દેસાઈ, ઉષાબેન ઇન્દ્રવદન દેસાઈ હેમલતા મેહુલ દેસાઈ વિગેરેને ને નાની મોટી ઈજાઓ પહોંચી છે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *