નવસારીમાં અનન્ય ભાવે સેવા કરતા સ્નેહ સેતુ ટ્રસ્ટ નો રક્તદાન શિબિર વ્યાપક સફળ:ધારાસભ્ય સહિત આગેવાનોએ અનન્ય સેવા કાર્યોને બિરદાવ્યા

નવસારીમાં અનન્ય ભાવે સેવા કરતા સ્નેહ સેતુ ટ્રસ્ટ નો રક્તદાન શિબિર વ્યાપક સફળ:ધારાસભ્ય સહિત આગેવાનોએ અનન્ય સેવા કાર્યોને બિરદાવ્યા

સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રેડક્રોસ નવસારી ના સહયોગથી યોજાયેલા મેગા રક્તદાન શિબિરમાં પ્રમુખ ચેતનાબેન બિરલા એ શહેરના મહાનુભાવો અને રક્તદાતાઓ તથા સખાવતીઓ દ્વારા અમારા શુભ કાર્યક્રમ સતત સફળ બની રહ્યા છે આ મેગા રક્તદાન શિબિરમાં આજે દસ વિરાંગનાઓ સતત રક્તદાન કરે છે એને બિરદાવવા સાથે નિવાસી અધિક કલેકટર કેતનભાઇ જોશી 67 મી વાર રક્તદાન માટે પધાર્યા છે ત્યારે આનંદ અને ગૌરવની લાગણી આચાર્ય નેહાબેન વ્યાસ અને નરેન્દ્ર બિરલા વિગેરેની સાથે અનુભવું છું

રક્તદાન શિબિર દરમિયાન 57 વખત રક્તદાન કરનાર રેખાબેન નરેશભાઈ પટેલ 39 વખત રક્તદાન કરનાર માધવીબેન મિતેનભાઈ મહેતા 38 વાર રક્તદાન કરનાર જાગૃતિબેન અજયભાઈ માકા દેસાઈ 34 રક્તદાન કરનાર હીનાબેન કાંતિલાલ બારોટ 19રક્તદાન કરનાર ત્રિપુટી નારીઓ દર્શના ડેલીવાળા લીનાબેન દીપકભાઈ ગીતો, બીનીતા દારૂવાલા તથા દસ વાર રક્તદાન કરનાર દિવ્યાંગ બહેન નિકિતા છગનભાઈ પટેલ અને 21 વાર રક્તદાન કરનાર સોનિયા દેવેશ પટેલ સહિત 67 રક્તદાન કરનાર અધિક જિલ્લા કલેકટર કેતન જોશી નું અભિવાદન થયું હતું.

આ શિબિરમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ નવસારીના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ જીગીશ શાહ તેમજ શિક્ષણ સમિતિ અધ્યક્ષ અને 77 વાર રક્તદાન કરનાર અજયભાઈ દેસાઈ ઉર્ફે માકા વિગેરે સહિત રેડ ક્રોસના પદાધિકારીઓ જયંતીભાઈ નાયક તુષારભાઈ દેસાઈ તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મેગા શિબિર ને સફળ બનાવવા નવસારી ના સામાજિક અગ્રણી હરીશભાઈ મંગલાણી, મોઢ ઘાંચી સમાજના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર ગાંધી પુરોગામી પ્રમુખ સંજય ગાંધી નિવૃત્ત પોલીસ અધિકારી ચંદ્રકાંત ગાંધી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્ય નેહાબેન વ્યાસે અને પ્રાસંગિક વક્તવ્ય ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ જીગીશ શાહ ભૂરા લાલ શાહ રેડ્કોસના જયંતીભાઈ નાયક ગૌતમ મહેતા વિગેરે એ ચેતના બિરલા દંપત્તિ અને સ્નેહ સેતુ ટ્રસ્ટ ને ઉમદા કાર્યો બદલ બિરદાવ્યા હતા.

 

 

 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *