રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નવસારી જિલ્લાની ધોલાઈ બંદર ની મુલાકાત લીધી 

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નવસારી જિલ્લાની ધોલાઈ બંદર ની મુલાકાત લીધી 

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી રાઘવજીભાઈ પટેલે નવસારીના ગણદેવી તાલુકાના ધોલાઈ બંદરની સ્થળ મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી વહેલી તકે નિરાકરણ લાવવાનું આશ્વાસન સાગરખેડૂઓને આપ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે , ધોલાઈ બંદરના વિકાસ માટે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા સ્થાનિક આગેવાનો દ્વારા સાગરખેડૂઓને પડતર પ્રશ્નોનો મારી સમક્ષ રજુ થયાં હતા. જે અન્વયે આજે ધોલાઈ બંદરની મુલાકાત લીધી છે. ધોલાઈ બંદરના વિકાસ માટે જરૂરી સુવિધાઓની વ્યવસ્થાઓ માટે ઝડપી ઉકેલ લાવવામાં આવશે જેથી સાગરખેડૂઓને કોઈ તકલીફ નહિ પડશે નહિ તેમજ તેઓની આવકમાં વધારો થાય તે દિશામાં આગળ વધીશુ.

તેમણે ઉમેર્યું કે , સાગરખેડૂતોના પ્રશ્નો ક્રમબદ્ધ રીતે ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. અને દક્ષિણ ગુજરાતમાં ધોલાઈ બંદર એ મહત્વનું બંદર બની રહેશે. જે બાબતે ઘટતુ કરવા મંત્રીશ્રીએ ખાત્રી આપી હતી.

 

આ મુલાકાત અવસરે વલસાડના સાંસદ ડૉ. કે.સી.પટેલ , ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ , નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા , અધિક કલેકટર કેતન જોષી , જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા તેમજ ગણદેવી તાલુકા વિકાસ અધિકારી અને ધોલાઈ બંદરના સ્થાનિક સાગરખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ધોલાઈ બંદરના સાગરખેડૂઓના પડતર પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રી રાઘવજીભાઈ પટેલ

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *