જિયા ખાન આત્મહત્યા કેસ: સૂરજ પંચોલી નિર્દોષ, વિશેષ CBI કોર્ટે ચુકાદો સંભળાવ્યો

જિયા ખાન આત્મહત્યા કેસ: સૂરજ પંચોલી નિર્દોષ, વિશેષ CBI કોર્ટે ચુકાદો સંભળાવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યા ના લગભગ 10 વર્ષ બાદ મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જિયાના કથિત પ્રેમી અને ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને પુરાવાના અભાવે કોર્ટે મુક્ત કરી દીધો છે.

મુંબઈની વિશેષ CBI કોર્ટે 28 એપ્રિલ, શુક્રવારે અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. જણાવી દઈએ કે 3 જૂન 2013ના રોજ જિયા ખાન તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર જીયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. આજે ચુકાદો આપતાં કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે પુરાવાના અભાવે આ કોર્ટ તમને (સૂરજ પંચોલી)ને દોષિત ઠેરવી શકતી નથી, તેથી મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટના ન્યાયાધીશ એએસ સૈયદે નિર્દોષ છૂટકારો આપ્યો છે.

આ નિર્ણય આજે સવારે 11 વાગ્યે આવવાનો હતો. પરંતુ આ મામલે નિર્ણય લેવામાં થોડો વિલંબ થયો હતો. આ કેસની સુનાવણી 12.30 વાગ્યે શરૂ થઈ અને કોર્ટે પોતાનો આદેશ સંભળાવ્યો. CBI સ્પેશિયલ કોર્ટના જજ એ.એસ. સૈયદે સૂરજ આદિત્ય પંચોલીને તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળવાના કારણે નિર્દોષ છોડી મૂક્યા હતા. ન્યાયાધીશે સૂરજ પંચોલીને કોર્ટરૂમમાં પ્રવેશતાની સાથે જ ડોકમાં બોલાવ્યો. આ પછી, તેને નિર્દોષ છોડવાનો ચુકાદો આપવામાં આવ્યો.

 

Related post

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…
નવસારીમાં KKDF સંસ્થા દ્વારા આયોજિત કરાટે પરીક્ષામાં સત્યસાઈ વિદ્યાનિકેતનના ૩૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો ‘બ્લેક બેલ્ટ’

નવસારીમાં KKDF સંસ્થા દ્વારા આયોજિત કરાટે પરીક્ષામાં સત્યસાઈ વિદ્યાનિકેતનના…

સત્યસાઈ વિદ્યાનિકેતનના 33 વિદ્યાર્થીઓએ બ્લેક બેલ્ટની સિદ્ધિ મેળવી શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું: છેલ્લા 7 વર્ષની સઘન તાલીમ રંગ લાવી નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *