ગુજરાત રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર:નવસારી જિલ્લાનું 64.61 ટકા પરિણામ જાહેર થયું.

ગુજરાત રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર:નવસારી જિલ્લાનું 64.61 ટકા પરિણામ જાહેર થયું.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકાયું હતું.

ગુજરાત માધ્યમ શિક્ષણ બોર્ડ દ્વારા પહેલીવાર વોટ્સએપ નંબર ઉપર પણ પરિણામ આપવામાં આવ્યું છે.

આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામ ઓછુ આવ્યું છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66% આવ્યુ છે.

આ વર્ષે 83.22 % સાથે મોરબીનું સૌથી આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે. 90. 41 ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતુ કેન્દ્ર હળવદ બન્યુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર લીમખેડા 22 ટકા બન્યું છે.

આ વર્ષે રાજ્યમાં 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે રાજ્યભરમાં 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમ શાળાઓનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમ શાળા નું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે. જ્યારે A ગ્રૂપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યુ છે. B ગ્રૂપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત AB ગ્રૂપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.

નવસારી જિલ્લાની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4582 વિદ્યાર્થીઓએ પરીક્ષા ના ફોર્મ માં ભર્યા હતા.જેમાંથી 4,578 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ A1 ગ્રુપમાં બે વિદ્યાર્થીઓ જ્યારે A2 ગ્રુપમાં 81 વિદ્યાર્થીઓ B1 ગ્રુપ માં 224 વિદ્યાર્થીઓ જ્યારે B2 ગ્રુપ માં 452 વિદ્યાર્થીઓ c1 ગ્રુપમાં 796 વિદ્યાર્થીઓ માં C2 ગ્રુપમાં 990 વિદ્યાર્થીઓ D ગ્રુપમાં 410 વિદ્યાર્થીઓ અને E1માં 3 વિદ્યાર્થીઓ નીડ ઈમ્પ્રુરમેન્ટ એટલે કે (ના પાસ) થયેલ 1624 વિદ્યાર્થીઓ છે. નવસારી જિલ્લાનું પરિણામ 64.21% નોંધાવવા પામ્યુ છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *