અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ધ્વારા સહયોગીઓ અભિવાદન સમારોહ યોજાયો.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ધ્વારા સહયોગીઓ અભિવાદન સમારોહ યોજાયો.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા સોલાર પ્લાન્ટ અર્પણ કરનાર સખાવતી સહિત ગાયત્રી પરિવારના દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિ તથા સંસ્કાર ટ્રસ્ટના અલ્પાહાર વેચાણ ઉત્પાદનમાં કાર્યરત મહિલાઓનું અભિવાદન થયું.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરે છે આ ટ્રસ્ટમાં રૂપિયા 11 લાખના ખર્ચ છે સોલાર પ્લાન્ટ અર્પણ કરનાર ભારતીબેન સુર ચંદ ઝવેરી અને તેમના પ્રતિનિધિ પરિવાર ગૌતમ દેસાઈ,ગીતાબેન,આરતીબેન, પ્રદીપભાઈ વિગેરેને પ્રમુખ જીગ્નેશ દેસાઈ તથા હાર્દિક નાયક ના હસ્તે અભિવાદન થયું હતું.

નવસારી ગાયત્રી પીઠના પ્રમુખ અને પ્રતિભાવાન અનાવિલ એવા ખડસાડના વતની હિતેન્દ્રભાઈ દેસાઈને ગાયત્રી પરિવારના આગામી શતાબ્દી મહોત્સવ માટે નવસારી,વલસાડ,ડાંગ,દમણ સેલવાસ વિગેરના મુખ્ય પ્રતિનિધિ તરીકેની વરણી થતા તેમનું વિશિષ્ટ બહુમાન અનાવેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે મહિલા ગૃહ ઉદ્યોગમાં કાર્ય અલ્પાહાર ઉત્પાદન અને વેચાણ કરતા 18 બહેનોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આરંભે પ્રમુખ જીગ્નેશ રમેશચંદ્ર દેસાઈ દ્વારા સ્વાગત મંત્રી હાર્દિક નાયક દ્વારા પ્રાસંગિક ભૂમિકા અને ઉપપ્રમુખ રવિન દેસાઈએ સંચાલન કર્યું હતું.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *