વાંસદા તાલુકાના પીપલખેડ ગામના ગીતાબેન પ્રાકૃતિક ખેતી થકી આવકમાં વૃધ્ધિ મેળવે છે 

વાંસદા તાલુકાના પીપલખેડ ગામના ગીતાબેન પ્રાકૃતિક ખેતી થકી આવકમાં વૃધ્ધિ મેળવે છે 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામના રહેવાસી  ગીતાબેન પ્રવિણભાઇ પઢેર ચાર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ આત્મા પ્રોજેકટની તાલીમ થકી આંબાની વિવિધ જાતની કેસર, દશેરી, રાજાપુરી, લંગડો, હાફૂસ જેવી કેરીઓની બાગાયતી ખેતી કરે છે.

ગીતાબેન પઢેર જણાવે છે કે આ ઓર્ગેનિકથી તૈયાર થયેલી કેરીની ખૂબ જ માંગ છે. વેપારીઓ અને જાણકારો તથા સ્વાસ્થ્ય અંગે કાળજી લેતા લોકો સીધા જ અમારા ખેતરે આવીને બહોળા પ્રમાણમાં કેરીઓ લઇ જાય છે. જેથી અમારો પરિવહન ખર્ચ તથા બજારમાં પહોંચાડવાનો સમય પણ બચે અને સરવાળે અમને જે વળતર મળે છે એમાં નફાનો ગાળો વધે છે. અને આમ ત્વરિત અને સ્થાનિક જગ્યાએથી વેચાણ થવાથી પોષણક્ષમ ભાવ મળી રહેવાથી એક ખેડૂત તેમજ વેપારી તરીકે અમને આ કેરીઓની બાગાયતી ખેતી લાભકર્તા છે. સાથે, આ કેરીઓ આરોગનારને પણ આરોગ્યની દ્રષ્ટિએ તથા સ્વાદને અનુલક્ષીને પણ ઘણી ફાયદાકારક છે.

ગીતાબેન જેવા અનેક ઉદ્યમી અને મહેનતું ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહયાં છે. અને જેની સર્વાંગીક સફળતાઓ સૌને ચાખવા મળે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *