પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ ગામ ખાતે અંદાજીત રૂ. ૧૦૭ કરોડના ખર્ચે વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ તૈયાર થનાર છે. આ જૂથ પાણી પુરવઠા પ્રોજેકટનું આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લઇ, જાતમાહિતી મેળવી હતી.અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપી નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કર્યા હતાં.

 

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ સંદર્ભે જણાવ્યું હતું કે, દમણ ગંગા બલ્ક પાઈપલાઈન આધારિત પીવાના પાણીની યોજના અંતર્ગત ૧૯ જૂથ યોજનામાં ૩૯૬ ગામોનો સમાવેશ થયો છે જેના થકી વલસાડ અને નવસારીના ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી સરળતાથી પ્રાપ્ત થશે.

 

વાંસદા તાલુકામાં નિર્માણ પામી રહેલ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ રૂ. ૧૦૭ કરોડના ખર્ચ નિર્માણ થશે જેનાથી વાંસદા તાલુકાના ૨૪ ગામો અને ૨૫૮ ફળિયામાં પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. અંતરિયાળ વિસ્તારના ગામના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે સરકારે આ યોજના ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે .લોકોની સુખાકારીના કામો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ, પાણી પુરવઠા અધિકારી પટેલ, અધિકારીઓ/પદાધિકારીઓ,સરપંચો,ગામ આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *