નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાન નું આયોજન

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાન નું આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાની માં કેન્દ્રની સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ઉપલબ્ધિઓ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મે થી 30 જૂન સુધી સમગ્ર જિલ્લામાં સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલજી ની સાથે ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સમગ્ર જિલ્લામાં લોક સંપર્ક કરશે.

30 મે થી 30 જુન દરમિયાન વિકાસતીર્થ ,લાભાર્થી સંમેલન વેપારી સંમેલન ,પ્રબુદ્ધ સંમેલન સંયુક્ત મોરચા સંમેલન, યોગ દિવસ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની શક્તિ કેન્દ્ર સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ, વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે ભોજન અને વાર્તાલાપ, ઘર ઘર સંપર્ક અને વિશાળ જનસભા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

આ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જિલ્લાના ધારાસભ્યો જિલ્લાના હોદ્દેદારો સહિતના કાર્યકરો સમગ્ર જિલ્લામાં બુથ સુધી લોકો સંપર્ક કરી કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓ ની માહિતી આપશે. આ અંગેની માહિતી આપવા માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, ઉપપ્રમુખ જીગરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *