નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાન નું આયોજન

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાન નું આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાની માં કેન્દ્રની સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ઉપલબ્ધિઓ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મે થી 30 જૂન સુધી સમગ્ર જિલ્લામાં સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલજી ની સાથે ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સમગ્ર જિલ્લામાં લોક સંપર્ક કરશે.

30 મે થી 30 જુન દરમિયાન વિકાસતીર્થ ,લાભાર્થી સંમેલન વેપારી સંમેલન ,પ્રબુદ્ધ સંમેલન સંયુક્ત મોરચા સંમેલન, યોગ દિવસ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની શક્તિ કેન્દ્ર સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ, વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે ભોજન અને વાર્તાલાપ, ઘર ઘર સંપર્ક અને વિશાળ જનસભા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

આ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જિલ્લાના ધારાસભ્યો જિલ્લાના હોદ્દેદારો સહિતના કાર્યકરો સમગ્ર જિલ્લામાં બુથ સુધી લોકો સંપર્ક કરી કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓ ની માહિતી આપશે. આ અંગેની માહિતી આપવા માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, ઉપપ્રમુખ જીગરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *