નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાન નું આયોજન

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાન નું આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાની માં કેન્દ્રની સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ઉપલબ્ધિઓ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મે થી 30 જૂન સુધી સમગ્ર જિલ્લામાં સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલજી ની સાથે ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સમગ્ર જિલ્લામાં લોક સંપર્ક કરશે.

30 મે થી 30 જુન દરમિયાન વિકાસતીર્થ ,લાભાર્થી સંમેલન વેપારી સંમેલન ,પ્રબુદ્ધ સંમેલન સંયુક્ત મોરચા સંમેલન, યોગ દિવસ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની શક્તિ કેન્દ્ર સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ, વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે ભોજન અને વાર્તાલાપ, ઘર ઘર સંપર્ક અને વિશાળ જનસભા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

આ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જિલ્લાના ધારાસભ્યો જિલ્લાના હોદ્દેદારો સહિતના કાર્યકરો સમગ્ર જિલ્લામાં બુથ સુધી લોકો સંપર્ક કરી કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓ ની માહિતી આપશે. આ અંગેની માહિતી આપવા માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, ઉપપ્રમુખ જીગરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *