નવસારી જિલ્લાના અનાવિલ પરિવારની અનોખી પરંપરા જાળવી રાખી માતા બાદ પુત્ર અને પુત્રીએ પણ દેહદાન કર્યું

નવસારી જિલ્લાના અનાવિલ પરિવારની અનોખી પરંપરા જાળવી રાખી માતા બાદ પુત્ર અને પુત્રીએ પણ દેહદાન કર્યું

નવસારી જિલ્લાના  ચીખલી તાલુકાના રહેવાસી ઈરાવતી બહેન રણછોડજી દેસાઈ પરિવારજનોએ દેહદાનની પરંપરા ને વયોવૃદ્ધ  અને વયોવૃદ્ધ પુત્રીએ પણ દેહદાનના ધર્મને જાળવી રાખ્યો છે.

ચીખલીના હવેલી મહોલ્લા ખાતે રહેતા ઇરાવતીબેન રણછોડજી દેસાઈ નું 23 વર્ષ પહેલા 2000 ની સાલમાં મૃત્યુ થતાં સદગતની ઈચ્છા અનુસાર પરિવારજનોએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે દેહદાન કર્યું હતું.ત્યારબાદ ઈરાવતી બહેનના વયસ્ક પુત્ર વિનોદરાય રણછોડજી દેસાઈ નું વર્ષ 2021 ની સાલમાં અવસાન થતા ફરીથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે સદ્દગત ની ઈચ્છા અને પરિવારની અનોખી પરંપરા અનુસાર દેહદાન ના ધર્મને જાળવી રાખ્યો હતો.

ગઈકાલે તારીખ 29 5 2023 ના રોજ આ જ પરિવારની વયો વૃદ્ધ પુત્રી એવા હંસાબેન સુમંત્ રાય દેસાઈ ઉંમર 97 નું અવસાન થતાં સદ્ગતની ઈચ્છા અને પરિવારની પરંપરા અનુસાર નવસારીની મેડિકલ કોલેજ ખાતે નવસારી પ્રદેશમાંથી પ્રથમવાર દેહદાન કરવામાં આવ્યું હતું.

નવસારી મેડિકલ કોલેજ આટ ગામ ખાતે મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર ડોક્ટર પંડિત અને એને ટોમીના હેડ પ્રોફેસર ડોક્ટર ભદ્રેશ વાઘેલાએ હંસાબા નું દેહદાન સ્વીકારી ઉપસ્થિત પરિવારજનો એવા નિકેત દેસાઈ એડવોકેટ સમીર દેસાઈ વિગેરે પ્રત્યે અહોભાવ અને સદગત અને શાંતિ મળે એવી પ્રાર્થના અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રામનગર એરુ ખાતે રહેતા નિકેતના દાદી પિતા અને ફુઈ એમ ત્રણ જણ નું દેહ દાન આ પરિવારે કર્યું છે ગઈકાલે દેહદાન કરનાર કરનાર હંસાબા જાણીતા એડવોકેટ સમીર કાંતિલાલ દેસાઈ ની મોટી બેન સ્મિતા નિરંજન દેસાઈ અને દેવાંગ દેસાઈના માતૃશ્રી છે.

આજે પહોંચેલા દેવાંગ દેસાઈ અને આ પરિવારના નિકેત દેસાઈએ અમારી જોડે વાતચીતમાં જણાવ્યું કે આ પરિવારની પરંપરા અમે દેહદાનનો ધર્મ નિભાવી જાળવી રાખી છે નિરંજન દેસાઈના અમેરિકા સ્થિત સંતાનો રિશીન,સોહમ અને રોમા તથા અમેરિકા સ્થિત દેવાંગ દેસાઈની પુત્રી તુલસી એ પણ અમારા પરિવારના માતૃશ્રી એ દેહદાન દ્વારા ધર્મ નિભાવ્યો એમ શાંતિ પ્રાર્થના કરી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *