નવસારી જિલ્લાના અનાવિલ પરિવારની અનોખી પરંપરા જાળવી રાખી માતા બાદ પુત્ર અને પુત્રીએ પણ દેહદાન કર્યું

નવસારી જિલ્લાના અનાવિલ પરિવારની અનોખી પરંપરા જાળવી રાખી માતા બાદ પુત્ર અને પુત્રીએ પણ દેહદાન કર્યું

નવસારી જિલ્લાના  ચીખલી તાલુકાના રહેવાસી ઈરાવતી બહેન રણછોડજી દેસાઈ પરિવારજનોએ દેહદાનની પરંપરા ને વયોવૃદ્ધ  અને વયોવૃદ્ધ પુત્રીએ પણ દેહદાનના ધર્મને જાળવી રાખ્યો છે.

ચીખલીના હવેલી મહોલ્લા ખાતે રહેતા ઇરાવતીબેન રણછોડજી દેસાઈ નું 23 વર્ષ પહેલા 2000 ની સાલમાં મૃત્યુ થતાં સદગતની ઈચ્છા અનુસાર પરિવારજનોએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે દેહદાન કર્યું હતું.ત્યારબાદ ઈરાવતી બહેનના વયસ્ક પુત્ર વિનોદરાય રણછોડજી દેસાઈ નું વર્ષ 2021 ની સાલમાં અવસાન થતા ફરીથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે સદ્દગત ની ઈચ્છા અને પરિવારની અનોખી પરંપરા અનુસાર દેહદાન ના ધર્મને જાળવી રાખ્યો હતો.

ગઈકાલે તારીખ 29 5 2023 ના રોજ આ જ પરિવારની વયો વૃદ્ધ પુત્રી એવા હંસાબેન સુમંત્ રાય દેસાઈ ઉંમર 97 નું અવસાન થતાં સદ્ગતની ઈચ્છા અને પરિવારની પરંપરા અનુસાર નવસારીની મેડિકલ કોલેજ ખાતે નવસારી પ્રદેશમાંથી પ્રથમવાર દેહદાન કરવામાં આવ્યું હતું.

નવસારી મેડિકલ કોલેજ આટ ગામ ખાતે મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર ડોક્ટર પંડિત અને એને ટોમીના હેડ પ્રોફેસર ડોક્ટર ભદ્રેશ વાઘેલાએ હંસાબા નું દેહદાન સ્વીકારી ઉપસ્થિત પરિવારજનો એવા નિકેત દેસાઈ એડવોકેટ સમીર દેસાઈ વિગેરે પ્રત્યે અહોભાવ અને સદગત અને શાંતિ મળે એવી પ્રાર્થના અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રામનગર એરુ ખાતે રહેતા નિકેતના દાદી પિતા અને ફુઈ એમ ત્રણ જણ નું દેહ દાન આ પરિવારે કર્યું છે ગઈકાલે દેહદાન કરનાર કરનાર હંસાબા જાણીતા એડવોકેટ સમીર કાંતિલાલ દેસાઈ ની મોટી બેન સ્મિતા નિરંજન દેસાઈ અને દેવાંગ દેસાઈના માતૃશ્રી છે.

આજે પહોંચેલા દેવાંગ દેસાઈ અને આ પરિવારના નિકેત દેસાઈએ અમારી જોડે વાતચીતમાં જણાવ્યું કે આ પરિવારની પરંપરા અમે દેહદાનનો ધર્મ નિભાવી જાળવી રાખી છે નિરંજન દેસાઈના અમેરિકા સ્થિત સંતાનો રિશીન,સોહમ અને રોમા તથા અમેરિકા સ્થિત દેવાંગ દેસાઈની પુત્રી તુલસી એ પણ અમારા પરિવારના માતૃશ્રી એ દેહદાન દ્વારા ધર્મ નિભાવ્યો એમ શાંતિ પ્રાર્થના કરી હતી.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *