વાવાઝોડાના સંકટ સમયે કૃષ્ણપુર ગામ સજ્જ: 3 વર્ષ પહેલા બનાવાયેલું મલ્ટી પર્પઝ ડિઝાસ્ટર હોમ લોકો માટે ઉપયોગી સાબિત થયું

વાવાઝોડાના સંકટ સમયે કૃષ્ણપુર ગામ સજ્જ: 3 વર્ષ પહેલા બનાવાયેલું મલ્ટી પર્પઝ ડિઝાસ્ટર હોમ લોકો માટે ઉપયોગી સાબિત થયું

દક્ષિણ ગુજરાત એક માત્ર નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામને કુદરતી આપત્તિ કે વાવાઝોડા થી ગામના લોકોને બચાવી સુરક્ષિત સ્થળે રાખવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ગુજરાતનું પહેલું ત્રણ વર્ષ અગાઉ ડિઝાસ્ટર મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવ્યું છે. 

કુદરતી આપત્તિઓ માનવ જીવન માટે ખતરા રૂપ થઈ પડી છે જેમાં ગ્લોબલ વોર્મિંગ કારણે ગંભીર અસરો પગલે વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારો અને વાવાઝોડાઓ આવવાની શક્યતાઓ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે  ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર આગમચેતીના ભાગે આગળ વધી રહ્યું છે. નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામને કુદરતી આપત્તિ થી બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ગુજરાતનું પહેલું ડિઝાસ્ટર મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવ્યું છે.

કુદરતી આપત્તિઓ કે માનવ સર્જિત આપત્તિઓ સમયે ડિઝાસ્ટર મલ્ટી પર્પઝ સેન્ટર હોમ લોકો માટે આશિર્વાદરૂપ સમાન સાબિત થઈ શકે છે. તોકેતે વાવાઝોડુ હોય કે બિપોરજોય વાવાઝોડાન અથવા વરસાદી રહેલ કે દરિયાઈ તોફાન અસરને લઈ માનવીય બચાવકાર્ય તેમજ સુરક્ષિત સ્થાને ખસેડવાની તૈયારીના ભાગરૂપે મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવ્યું છે.આ સેન્ટરમાં 3000 વધુ લોકોની કુદરતી આપત્તિઓ સુરક્ષિત સ્થળે જેવી ભરતી તેમજ રેલના પાણી ગામ મોટા પ્રમાણ ધુસી જવા કે વાવાઝોડા સમયે આ સેન્ટર બનાવાયું છે.

હાલમાં બિપોરજોય વાવાઝોડાની નવસારી જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ છે. નવસારી જિલ્લામાં પણ બાવન કિલોમીટર દરિયા કિનારાઓ આવેલો છે ત્યારે  અવાર-નવાર વાવાઝોડા તેમજ દરિયાઈ ભરતીના પાણી ભરતા હોવાને લઈ નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામે 3 વર્ષ પહેલા બનાવાયેલું મલ્ટી પર્પઝ ડિઝાસ્ટર હોમ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ આશ્રય સ્થાન કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી બનાવાયું હતું.  જે વાવાઝોડા સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જેમાં જુદા જુદા રૂમો તેમજ ભોજન બનાવવા તમામ વ્યવસ્થાઓ કરી શકાય તેવું આ ડિઝાસ્ટર હોમ સેન્ટર બનાવાયું છે. 10 હજારની વસ્તી ધરાવતું કૃષ્ણપુર ગામ ચારેબાજુથી દરિયાથી ઘેરાયેલું છે તેમજ ગામના લોકો માછીમારી તેમજ બોટ સમારકામ કરી પોતાનો ધંધો રોજગાર મળવી રહ્યા છે.આ મલ્ટિપર્પઝ સેન્ટર ગામના સારા કે નબળા પ્રંસેગ પણ ઉપયોગી સાબિત થયું છે.

નવસારી જિલ્લાનું કૃષ્ણપુર એવું ગામે અહીં સંરક્ષણ દિવાલ પણ નથી.જેના કારણે દરિયાની ભરતીના પાણી પણ ગામમાં પ્રવેશી જતા હોય છે. જેને પગલે ગુજરાત રાજ્યમાં સૌથી પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા ગામના લોકોના રક્ષણ માટે આ સેન્ટર બનાવાયું હતું. મલ્ટી પર્પઝ સેન્ટરમાં જીપીએસ અને વીજળી શોષક યંત્ર પણ મૂકવામાં આવેલા છે. જેના કારણે આપત્તિ સમયે રક્ષણ મેળવી શકાય અને જિલ્લા વહીવટીતંત્ર ના સંપર્કમાં રહી શકાય કોઈપણ મોટી હોનારત સમયે જરૂર પડ્યે બચાવકાર્ય પણ કરી શકાય તે આશરય આ મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવવામાં આવ્યું છે

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *