બાલવાટિકા માં ૬૦ તથા આંગણવાડીમાં ૯ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મહિલા અને બાળ વિકાસ વિભાગના નાયબ સચિવ એસ.જી.પટેલ

બાલવાટિકા માં ૬૦ તથા આંગણવાડીમાં ૯ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મહિલા અને બાળ વિકાસ વિભાગના નાયબ સચિવ એસ.જી.પટેલ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ડુંગરપાડા વર્ગ શાળા સહિતની ત્રણ શાળાઓમાં મહિલા અને બાળવિકાસ વિભાગના નાયબ સચિવ એસ.જી.પટેલના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં તેમણે બાલવાટિકામાં ૬૦ તથા આંગણવાડીમાં ૯ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમજ ગત વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવનારા શાળાના વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કર્યાં હતાં.

આ પ્રસંગે એસ.જી.પટેલે જણાવ્યું હતું કે શિક્ષણથી કોઇ વંચિત ન રહે તેની દરકાર સરકારે લીધી છે. છેલ્લા ૨૦ વર્ષથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે.

 

શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા તેમણે ઉમેર્યું કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણ ઉપર વધુ મહેનત કરવી પડશે. અને નવા આવેલા વિદ્યાર્થીઓનો શાળાનો ડર પણ દુર કરવાનો રહેશે. બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા પણ શિક્ષકોએ ખાસ ભાર મુકવાનો રહેશે. તેમજ રમતગમત અને ઇત્તર પ્રવૃતિઓ કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું.

શિક્ષકોને જણાવ્યું હતું કે, બાળકોને ભાર વગરનું ભણતર આપવાની જરૂરીયાત છે. શિક્ષણ માટે ખોટો ભાર તેમજ તણાવ બાળકો ઉપર ન લાવવો જોઇએ.કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાઓની મુલાકાત દરમિયાન એસ.એમ.સીના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગાંવિત, મામલતદાર એસ.એમ.વસાવા સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો તથા મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

શિક્ષણથી કોઇ વંચિત ન રહે તેની દરકાર સરકારે લીધી છે:મહિલા અને બાળવિકાસ વિભાગના નાયબ સચિવ એસ.જી.પટેલ  

Related post

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…
૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા:નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ પિડીત મહિલાઓએ મદદ મેળવી

૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ…

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *