નવસારીમાં ઇસ્કોન દ્વારા ભવ્ય જગન્નાથ રથયાત્રા અને ભોપાલના સંત સર્વ સચ્ચિદાસ દ્વારા પ્રેરક ઉદબોધન

નવસારીમાં ઇસ્કોન દ્વારા ભવ્ય જગન્નાથ રથયાત્રા અને ભોપાલના સંત સર્વ સચ્ચિદાસ દ્વારા પ્રેરક ઉદબોધન

નવસારીના વિરાંજલી માર્ગ ગણદેવી રોડ ખાતે ડી માર્ટ ની બાજુમાં ₹10 કરોડના ખર્ચે ભવ્ય રાધા કૃષ્ણ મંદિર નિર્માણ પામ્યું છે આ મંદિર નિર્માણ પાછળ હરેકૃષ્ણ પરિવારના સમર્પિત મોભી કરસનભાઈ નાગજીભાઈ પટેલ ના વરિષ્ઠ પુત્ર જયેન્દ્ર કરશનભાઈ પટેલ નો સિંહ ફાળો છે રોજેરોજ ભવ્ય આરતી સત્સંગ અને દિવ્યતાથી નવસારીની આધ્યાત્મિક દુનિયામાં નવો સંચાર થયો છે હાલ પૂજનની કલાત્મક રાધાકૃષ્ણ અને શ્રીપાદ પ્રભુની હંગામી મૂર્તિઓ અર્ચન પૂજન થાય છે

આજે ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વ ભોપાલ ઇસ્કોન ના અગ્રણી સંત સર્વ સચ્ચિદાસ નું પ્રેરક ઉદબોધન યોજાયું હતું તેમણે જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર અને ગીતા નો ઉપદેશથી આખા વિશ્વમાં સેંકડો માનવીઓના જીવનમાં ક્રાંતિ પરિવર્તન અને આધ્યાત્મિક પ્રગતિ થઈ છે જીવન શાને માટે છે અને જીવતા જીવ મોક્ષ હરે કૃષ્ણ હરે કૃષ્ણની ધૂન વચ્ચે જ મળે છે એમ એમણે જણાવ્યું હતું એમણે પ્રસન્નતા પૂર્વક મુખ્ય આયોજક જયેન્દ્ર ભાઈ પટેલ અને સ્થાનિક સંતો તથા ધર્મ પ્રેમીઓને નવસારીમાં સાંસ્કૃતિક સામાજિક સેવાભાવી આધ્યામિક દીવાદાંડી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આજે નવસારી સ્ટેશનથી ભગવાન જગન્નાથ તેમની ભગીની સુભદ્રા અને બંધુ બલરામ ની ભવ્ય રથયાત્રા માં સેંકડો ભાવિકો જોડાયા હતા. નાના બાળકો પણ આધ્યાત્મિક જુદી જુદી વેશભૂષાઓમાં હતા ભગવાન જગન્નાથની આ રથયાત્રાને જોવા માટે શહેરના રાજમાર્ગ પર ભાવિકો ઉમટ્યા હતા તમામને ભગવાન જગન્નાથને પ્રિય એવી કરમાબાઈની ખીચડી અને કેળાના પ્રસાદનું વિતરણ ઠેર ઠેર થયું હતું. ખૂબ શિસ્ત પૂર્વક સ્વચ્છતા ભક્તિ અને સેવા જળવાઈ રહે તેવા આયોજન સાથે નવસારી ટાઉન પોલીસે સુંદર બંદોબસ્તમાં સહકાર આપ્યો હતો

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *