વિશ્વ યોગ દિવસ અવસરે નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર પર ઉજવણી કરવામાં આવી 

વિશ્વ યોગ દિવસ અવસરે નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર પર ઉજવણી કરવામાં આવી 

૨૧ મી જૂન- વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે આજે વહેલી સવારથી યોગમય વાતાવરણ સર્જાયુ હતું. જિલ્લામાં વિવિધ જગ્યાઓએ સૌ કોઇ યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. જે અંતર્ગત નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન યોજના દ્વારા જિલ્લાનાં છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિર્માણ પામેલા ૭૧ અમૃત સરોવર પર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે તમામ સરોવર પર પ્રભાત ફેરી યોજી સાથે યોગ તાલીમમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા

આ જન જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ,ગ્રામજનો,સરપંચો , સ્વચ્છતાગ્રાહી અને તાલુકાના કર્મચારી યોગમય બન્યા હતા

 

 

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *