નવસારીની એબી હાઈસ્કુલની તેજસ્વી વિદ્યાર્થીનીનું હૃદય રોગના હુમલામાં કમ કમાટી ભર્યું મોત થયું

નવસારીની એબી હાઈસ્કુલની તેજસ્વી વિદ્યાર્થીનીનું હૃદય રોગના હુમલામાં કમ કમાટી ભર્યું મોત થયું

નવસારીના છાપરા રોડ ચાર રસ્તા ખાતે પરતાપોર ગામ જવાના રસ્તે આવેલી સમગ્ર દક્ષિણ ગુજરાતની જાણીતી એબી સ્કૂલની તેજસ્વીની વિદ્યાર્થીની અને નીટ માટે તૈયારી કરતી તથા ડોક્ટર બનવા ઇચ્છતી તનિષા ઉદય ગાંધી આજે સવારે શાળામાં રિસેસ દરમિયાન ત્રીજા માળેથી પેસેજ પાસેથી ચોથા માળ નું પહેલું પગથિયું ચડવા જતા એને બેચેની લાગતા સમતુલા ગુમાવતી હતી.

આ તબક્કે તેમની સહેલી એ તનિષાને પકડી રાખી હતી પરંતુ પહેલું પગથિયું ચડે તે દરમિયાન જ સવારે 10:15 મિનિટ એ પહેલા પગથીયા પર ઢળી પડી હતી. આમ અચાનક જ તેજસ્વીની છાત્રા તનિષા ઢળી પડતા સૌ શિક્ષકો વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા બેભાન જેવી થઈ ગયેલી તનિષાને તાત્કાલિક સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઈ જતા પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક એટેક અને તેનું આ હૃદય રોગના તીવ્ર હુમલામાં કિશોર અવસ્થામાં જ માત્ર 17 વર્ષની ઉંમરે મૃત્યુ થયાનું તબીબો એ જાહેર કર્યું હતું.

અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની તનિષા ઉદય ગાંધી ના પિતા ઉદય ગાંધી નવસારી ની જાણીતી શેઠ આર જે જે હાઈસ્કૂલના ફિઝિક્સ વિષયના નિષ્ણાત શિક્ષક છેઆજે મૃત્યુ પામનાર તનિષા ની માતાનું પણ કોરોના દરમિયાન કમ કમાટી ભર્યું મોત થયું હતું આમ પિતા ઉદય ગાંધીએ પોતાની ધર્મ પત્ની ને કોરોનામાં અને લાડલી પુત્રી ને હૃદય રોગના હુમલામાં ગુમાવતા પરિવારજનો તેમજ સ્વજનો અને એબી હાઇસ્કુલ તથા શેઠ આરજે જે હાઇસ્કુલ માં આઘાત અને શોકની લાગણી પ્રસરી જવામાં આવી છે.

નાનીવયે હૃદય રોગનો હુમલો થાય જ નહીં એ ઘટના હવે જુના જમાના ની થઈ ગઈ છે ગુજરાત અને દેશમાં ઠેર ઠેર નાની વયના વિદ્યાર્થીઓમાં પણ હૃદય રોગના હુમલાઓ અને કમકમાટી ભર્યા મોતના બનાવો જાણવામાં આવી રહ્યા છે

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *