જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

‘મેલેરિયા ફ્રી ગુજરાત’ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ આવે એ માટે જુન માસ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી હતી.

મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કોઈપણ તાવ મેલેરિયા હોઈ શકે છે. તાવ આવે તો નજીકના સરકારી દવાખાનાનો તથા ૧૦૪ તાવ હેલ્પ લાઈનનો ઉપયોગ કરવા આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓ મારફત તાલુકાના દરેક ગામોમાં જાણકારી આપી હતી તથા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી દવાનો છંટકાવ કરી અને ઓઇલબોલ મૂકી મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો.

જળાશયોમાં પોરાભક્ષક માછલી ગપ્પી ફીશ મુકવામાં આવી હતી. મેલેરિયા અને ડેન્ગ્યુંની પત્રિકાનું વિતરણ તેમજ આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે-ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી હતી. જલાલપોર તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં મેલેરિયા અને ડેન્ગ્યું વિષે વિસ્તુત જાણકારી આપવામાં આવી હતી. આ જનજાગૃતિ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના અધિકારીઓ તાલુકા હેલ્થ ઓફીસર તથા મેડીકલ ઓફીસરો ના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ કામગીરી કરવામાં આવી હતી.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *