જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

‘મેલેરિયા ફ્રી ગુજરાત’ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ આવે એ માટે જુન માસ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી હતી.

મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કોઈપણ તાવ મેલેરિયા હોઈ શકે છે. તાવ આવે તો નજીકના સરકારી દવાખાનાનો તથા ૧૦૪ તાવ હેલ્પ લાઈનનો ઉપયોગ કરવા આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓ મારફત તાલુકાના દરેક ગામોમાં જાણકારી આપી હતી તથા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી દવાનો છંટકાવ કરી અને ઓઇલબોલ મૂકી મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો.

જળાશયોમાં પોરાભક્ષક માછલી ગપ્પી ફીશ મુકવામાં આવી હતી. મેલેરિયા અને ડેન્ગ્યુંની પત્રિકાનું વિતરણ તેમજ આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે-ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી હતી. જલાલપોર તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં મેલેરિયા અને ડેન્ગ્યું વિષે વિસ્તુત જાણકારી આપવામાં આવી હતી. આ જનજાગૃતિ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના અધિકારીઓ તાલુકા હેલ્થ ઓફીસર તથા મેડીકલ ઓફીસરો ના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ કામગીરી કરવામાં આવી હતી.

Related post

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…
૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા:નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ પિડીત મહિલાઓએ મદદ મેળવી

૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ…

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *