ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ ભારે વરસાદ આગાહીના પગલે NDRFની ટીમ અહીં મોકલાઈ શકે છે

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ ભારે વરસાદ આગાહીના પગલે NDRFની ટીમ અહીં મોકલાઈ શકે છે

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી બાદ બરાબર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર મૌસમ વિભાગ ધ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં બરાબર જામેલા વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ધ્વારા આગામી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ,નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 


આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવા અંગે આજરોજ નિર્ણય લેવાશે. આ ઉપરાંત આજે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે તૈયારીઓ ઉપર ચર્ચા કરવામાં આવશે.


આજરોજ રાજયના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

હવામાન વિભાગ દ્વારા આજરોજ ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ ખાસ વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આવતીકાલે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે 29 જૂને 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.આવતીકાલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.આ જિલ્લાઓમાં આવતીકાલે મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *