નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું 

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું 

નવસારી શહેરમાં સયાજીરાવ ગાયકવાડના સમયથી નખાયેલી ડ્રેનેજ સિસ્ટમમાં આજદીન સુધી તેનો ઉપયોગ કરવાની સાથે ખાસ કોઈ બદલાવ આવ્યો નથી. સાથે જ નવસારી શહેર વિકાસની હરણફાળ ભરત કેટલાક બિલ્ડરો ધ્વારા વરસાદી ગટર લાઈનમાં પોતાના બાંધકામ ના ડ્રેનેજનું જોડાણ કરતા નવસારી શહેર માત્ર ચાર કલાકમાં બેટમાં ફેરવાય ગયું હતું. શુક્રવાર અને શનિવાર એમ છેલ્લા બે દિવસથી અને ખાસ કરીને શનિવારના રોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદના કારણે નવસારી શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

નવસારી શહેરમાં ગઈકાલે 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. સૌથી વધુ અસર જલાલપોર અને નવસારી તાલુકામાં થઈ હતી. માત્ર ચાર કલાકમાં વરસેલા વરસાદને કારણે નવસારી શહેર બેટમાં ફેરવાયું નવસારી શહેરના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ઠેર ઠેર ટ્રાફિકજામ અને પાણી ભરાવવાની ઘટના સામે આવી હતી. નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન સાથે રહેણાંક મકાનોમાં રહેતા લોકો ઘરોમાં કેદ થયા હતા. ત્યારે આવી પરિસ્થિતિ ભવિષ્યમાં નિર્માણ ન થાય તે માટે નવસારીવિજલપોર નગરપાલિકા પદાધિકારીઓ તેમજ અધિકારીઓ આ માટે યોગ્ય પગલાંઓ લેવા રહ્યા. શનિવાર રાત સુધી માં શહેર માર્ગ ઉપર પાણી ઓસરતા જ્યાં ને ત્યાં ગંદકી તેમજ કચરા દેખાવા લાગ્યા હતા.

નવસારી શહેર રોગચાળા ન ફેલાય તેને અનુલક્ષીને નવસારી- વિજલપોર નગરપાલિકાની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઇ હતી. જે પૈકી રસ્તા સાફસફાઇ, પાણીનો નિકાલ, યાતાયાતની સમસ્યાઓ, વીજપુરવઠો, ડ્રેનેજ સફાઇ કામગીરીઓ થકી જનજીવનને ફરી વેગવંતુ કરવા સતત યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે.

 

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *