નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું 

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું 

નવસારી શહેરમાં સયાજીરાવ ગાયકવાડના સમયથી નખાયેલી ડ્રેનેજ સિસ્ટમમાં આજદીન સુધી તેનો ઉપયોગ કરવાની સાથે ખાસ કોઈ બદલાવ આવ્યો નથી. સાથે જ નવસારી શહેર વિકાસની હરણફાળ ભરત કેટલાક બિલ્ડરો ધ્વારા વરસાદી ગટર લાઈનમાં પોતાના બાંધકામ ના ડ્રેનેજનું જોડાણ કરતા નવસારી શહેર માત્ર ચાર કલાકમાં બેટમાં ફેરવાય ગયું હતું. શુક્રવાર અને શનિવાર એમ છેલ્લા બે દિવસથી અને ખાસ કરીને શનિવારના રોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદના કારણે નવસારી શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

નવસારી શહેરમાં ગઈકાલે 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. સૌથી વધુ અસર જલાલપોર અને નવસારી તાલુકામાં થઈ હતી. માત્ર ચાર કલાકમાં વરસેલા વરસાદને કારણે નવસારી શહેર બેટમાં ફેરવાયું નવસારી શહેરના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ઠેર ઠેર ટ્રાફિકજામ અને પાણી ભરાવવાની ઘટના સામે આવી હતી. નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન સાથે રહેણાંક મકાનોમાં રહેતા લોકો ઘરોમાં કેદ થયા હતા. ત્યારે આવી પરિસ્થિતિ ભવિષ્યમાં નિર્માણ ન થાય તે માટે નવસારીવિજલપોર નગરપાલિકા પદાધિકારીઓ તેમજ અધિકારીઓ આ માટે યોગ્ય પગલાંઓ લેવા રહ્યા. શનિવાર રાત સુધી માં શહેર માર્ગ ઉપર પાણી ઓસરતા જ્યાં ને ત્યાં ગંદકી તેમજ કચરા દેખાવા લાગ્યા હતા.

નવસારી શહેર રોગચાળા ન ફેલાય તેને અનુલક્ષીને નવસારી- વિજલપોર નગરપાલિકાની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઇ હતી. જે પૈકી રસ્તા સાફસફાઇ, પાણીનો નિકાલ, યાતાયાતની સમસ્યાઓ, વીજપુરવઠો, ડ્રેનેજ સફાઇ કામગીરીઓ થકી જનજીવનને ફરી વેગવંતુ કરવા સતત યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે.

 

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *