નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફલો

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફલો

ડેમની હેઠળવાસના ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઇ  

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વરસેલા વરસાદથી નદી-નાળા,તળાવો છલકાય જવા પામ્યા છે. વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન બે ડેમ આવેલા છે. જેમાં એક કેલિયા ડેમ અને બીજો જૂજ ડેમ આવેલો છે.

જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે થોડા સમય પહેલા કેલિયા ડેમ પણ ઓવરફલો થયો છે. અને આજે જૂજ ડેમ પણ ઓવરફલો થયેલો છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ડેમની હેઠળવાસમાં ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

જૂજ ડેમથી પ્રભાવિત થતા ગામોમાં વાંસદા તાલુકાના જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયાતળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર, ચીખલી તાલુકામાં દોણજા, હરણગામ, ચીખલી, ખુંધ, ઘેકટી, વંકાલ (વ.ફળિયા), ગણદેવી તાલુકામાં ઉંડાચ, લુહાર ફળિયા, વાણીયા ફળિયા, ગોયંદી, ખાપરવાડા અને દેસરા ગામોનો ગામોનો સમાવેશ થાય છે.

હાલમાં જૂજ ડેમની જળાશયની ભરપુર સપાટી ૧૬૭.૫૦ મીટર તેમજ જળાશયની સપાટી ૧૬૭.૫૫ મીટર છે. તેમ નાયબ કાર્યપાલક ઇજનેર જૂજ યોજના માટિયાર બંધ પેટા વિભાગ વાંસદા દ્વારા જણાવાયું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *