વરસાદને પગલે સંભવિત પરિસ્થિત અંગે સાંસદ સી. આર.પાટીલે  વિચાર વિમર્શ કરી જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા

વરસાદને પગલે સંભવિત પરિસ્થિત અંગે સાંસદ સી. આર.પાટીલે વિચાર વિમર્શ કરી જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા

વરસાદ અને ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે અને વધે તો પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં બચાવ અને રાહતની વ્યૂહરચનાના ભાગરૂપે નવસારી સાંસદ સી. આર.પાટીલે આજે સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદાર આનન્દુ સુરેશ, આસીસ્ટન્ટ કલેકટર ઓમકાર શિંદે તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા આયોજન અંગે માર્ગદર્શક સુચનાઓ આપી હતી.
સાંસદ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે હાલમાં વરસાદ છે અને પૂર્ણાની સપાટી ભયજનક સપાટીથી નજીક પહોંચે છે.

જ્યારે ઉપરવાસમાં જો ભારે વરસાદ થાય તો જેને પરિણામે પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં પૂર આવવાની શક્યતાઓ રહેલી છે.
સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવસારી શહેરના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવું પડે તો જરૂરી આશ્રયસ્થાનો નિયત કરવા,આશ્રય સ્થાનોની સાફ-સફાઈ, ફૂડ પેકેટ, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમણે વહીવટી તંત્રના અધિકારીઓને સુચનાઓ આપી હતી.
સાંસદે સંભવિત પૂરની સ્થિતિમાં કોઈ જાનમાલનું નુકશાન ન થાય તે અંગેની આગોતરી વ્યવસ્થા કરવા તેમને નગરપાલિકાના તંત્રવાહકોને જણાવ્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *