પાલઘર પાસે જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ, RPF ASI સહિત 4 મુસાફરોના મોત, ફાયરિંગ બદલ RPF કોન્સ્ટેબલની ધરપકડ

પાલઘર પાસે જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ, RPF ASI સહિત 4 મુસાફરોના મોત, ફાયરિંગ બદલ RPF કોન્સ્ટેબલની ધરપકડ

મહારાષ્ટ્રમાં ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં RPFના ASI સાથે વધુ ત્રણ મુસાફરોના મોત થયા હતા. જયપુર-મુંબઈ ટ્રેનમાં પાલઘર પાસે ફાયરિંગ થયું હતું. આરપીએફ કોન્સ્ટેબલે તેના ASI પર ફાયરિંગ કર્યું હતું.

મહારાષ્ટ્રના પાલઘરથી ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થયાના સમાચાર છે. જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. ઘટના સોમવારે સવારે 5 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. આ ઘટના વાપી અને સુરત સ્ટેશન વચ્ચે બની હતી. આરપીએફ કોન્સ્ટેબલે તેના ASI પર ફાયરિંગ કર્યું હતું. જે બાદ ગોળી વધુ ત્રણ મુસાફરોને વાગી હતી. પોલીસે આરપીએફ કોન્સ્ટેબલની બંદૂક સાથે ધરપકડ કરી છે.

આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતનસિંહ

ચારેય પીડિતોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

આરપીએફ કોન્સ્ટેબલની ઓળખ 30 વર્ષીય ચેતન સિંહ તરીકે થઈ છે. જીઆરપી પોલીસ અને આરપીએફ પોલીસ ઘટનાસ્થળે હાજર છે. સોમવારે સવારે 5.23 કલાકે જયપુર-મુંબઈ એક્સપ્રેસ (12956) ટ્રેનના B5 કોચમાં ફાયરિંગ થયું હતું. ચારેય પીડિત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આરપીએફ કોન્સ્ટેબલે શા માટે ગોળીબાર કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

બાયંદર ચોકી પર આરોપી કોન્સ્ટેબલ ઝડપાયો

પોલીસના જણાવ્યા અનુસાર, સીટી ચેતને એસ્કોર્ટ ડ્યુટી દરમિયાન એસ્કોર્ટ ઈન્ચાર્જ એએસઆઈ ટીકા રામ પર ફાયરિંગ કર્યું હતું. ટ્રેન બોરીવલી રેલ્વે સ્ટેશન (BVI) પર પહોંચી ગઈ છે અને આગોતરી માહિતી મુજબ, ASI ઉપરાંત ત્રણ નાગરિકોની જાનહાનિ નોંધાઈ છે. Sr. DSC BCT સાઇટ પર આવી રહ્યું છે. આ કોન્સ્ટેબલ બાયંદર ચોકી પર પકડાયો છે. ઉત્તર જીઆરપીના ડીસીપીને જાણ કરવામાં આવી છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *