નાણા, ઉર્જા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈનાઅધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

નાણા, ઉર્જા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈનાઅધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

૨૦૨૩-૨૪ ના વર્ષ માટે આદિજાતિના ૬ તાલુકાઓમાં ૨૦૮૯ લાખની જોગવાઈ સામે રૂા.૨૪૪૩ લાખનું આયોજન કરીને ૬૫૪ વિકાસકામોને બહાલી આપવામાં આવી

નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી અને નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ગુજરાત ન્યુ પેટર્ન અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષની નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

બેઠકમાં પ્રભારીમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સહિતના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબધ્ધ છે. છેવાડાના વિસ્તારોમાં કૌશલ્યવર્ધન સાથે રોજગારીની તકો ઉપલબ્ધ થાય તેમજ ખુટતી સુવિધાના સાથેના કામોને અગ્રતા આપવાની હિમાયત કરી હતી. પદાધિકારીઓએ સુચવેલા વિકાસકાર્યોને અગ્રતામાં લઈ નિયતસમયમર્યાદામાં વિકાસકામો પૂર્ણ કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.

પ્રભારીમંત્રી કનુભાઇ દેસાઇએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત ૯૬ ટકા વિવેકાધિન ગ્રાંટ હેઠળ ૬ તાલુકાઓમાં ૨૦૮૯ લાખની જોગવાઈ સામે રૂા.૨૪૪૩ લાખનું આયોજન કરીને ૬૫૪ કામોને બહાલી આપવામાં આવી હતી. જયારે જિલ્લાના ગણદેવી, નવસારી અને જલાલપોર તાલુકાઓમાં ૪ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂા.૧૨૩ લાખની જોગવાઈના ૭૫ કામોને મંજુર કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે લોક કલ્યાણલક્ષી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તથા પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તથા શરૂ ન થયેલા કામોને તાત્કાલિક શરૂ કરી દેવા સૂચના આપી અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

ગુજરાત પેટર્ન જોગવાઈ હેઠળ માર્ગ, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામૂહિક આરોગ્ય ઉપરાંત અન્ય વિકાસકામોમાં રોજગાર, પોષણ, ભૂમિસંરક્ષણ, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, ભૂમિ અને જળસંરક્ષણ વનવિકાસ જેવા કાર્યોનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહિવટદાર આન્નદુ સુરેશ ગોવિંદ, મદદનીશ કલેકટર ઓમકાર શિન્દે, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખો સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *