દેશભક્તિના રંગે રંગાયું ઐતિહાસિક દાંડી નમક સત્યાગ્રહ સ્મારક દાંડી સત્યાગ્રહ હોય કે આઝાદીની લડાઈ કાંઠા વિસ્તારના વીર શહીદોનું યોગદાન અમુલ્ય રહ્યું છે:ધારાસભ્ય આર.સી.પટેલ

દેશભક્તિના રંગે રંગાયું ઐતિહાસિક દાંડી નમક સત્યાગ્રહ સ્મારક દાંડી સત્યાગ્રહ હોય કે આઝાદીની લડાઈ કાંઠા વિસ્તારના વીર શહીદોનું યોગદાન અમુલ્ય રહ્યું છે:ધારાસભ્ય આર.સી.પટેલ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર નવસારી અને દાંડી ગ્રામ પંચાયતના સયુંકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ આજે નવસારીના નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડી ખાતે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના અધ્યક્ષતામાં યોજાયો હતો.

જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું કે, “મારી માટી- મારો દેશ” અભિયાનનો મુખ્ય ઉદેશ, માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરવાનો છે. દાંડી સત્યાગ્રહ હોય કે આઝાદીની લડાઈ નવસારીના કાંઠા વિસ્તારના વીર શહીદોનું યોગદાન અમુલ્ય રહ્યું છે. ત્યારે યશસ્વી વડાપ્રધાન દ્વારા પ્રારંભ થયેલ મારી માટી, મારો દેશ અભિયાન થકી વીર શહીદોને સન્માન કરવામાં આવે .આપણે સૌ આજે આઝાદ દેશમાં સ્વાભિમાન સાથે જીવી રહ્યા છે ત્યારે મારી માટી મારા દેશ અભિયાનમાં સહભાગી બની યોગદાન આપવા ઉપસ્થિત લોકોને પ્રેરિત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે પ્રસંગોચિત્ત વક્તવ્ય આપી પંચ પ્રણ પ્રતિજ્ઞાની વિસ્તૃત સમજણ આપી હતી .”મારી માટી- મારો દેશ” અભિયાનમાં નવસારી જિલ્લામાંથી વધુમાં વધુ લોકો જન અભિયાનમાં જોડાઈ મુઠીમાં માટી લઈ પોતાની સેલ્ફી પાડી પોર્ટલ પર અપલોડ કરવા પોતનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ હાથમાં માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. ધારાસભ્ય તથા મહાનુભાવોએ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રધાંજલિ અર્પી હતી . કાર્યક્રમના અંતે ગામમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

“મારી માટી,મારો દેશ” કાર્યક્રમમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા , મદદનીશ કલેકટર ઓમકાર શીંદે , જલાલપોરના તાલુકા વિકાસ અધિકારી એસ કે ખુમાણ,જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેન પટોળીયા , જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ રોશની પટેલ સહિત પદાધિકારીઓ , જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ, દાંડી ગામના સરપંચ , યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *