આપણો તિરંગો : આપણું ગૌરવ દેશભક્તિના અનેરા જોશ અને ઉમંગ સાથે નવસારી ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા

આપણો તિરંગો : આપણું ગૌરવ દેશભક્તિના અનેરા જોશ અને ઉમંગ સાથે નવસારી ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વેગવંતુ બનાવવા નવસારીના મદ્રેસા શાળાથી નવસારી સર્કીટ હાઉસ સર્કલ સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં શહેરીજનો સહભાગી બન્યા હતા. ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ યાત્રામાં પરંપરાગત પોશાક સાથે યુવાઓ જોડાયા હતા. જેમાં નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ તિરંગા યાત્રામાં જોડાઈ શાળા કોલેજના છાત્રો તથા શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુલામીની બેડીમાંથી દેશને આઝાદી અપાવનાર લાખો સ્વાતંત્ર્ય વીરોની બલિદાન ગાથાને ભાવાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-દર્શન હેઠળ સમગ્ર દેશમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં આજે નવસારીની તિરંગા યાત્રામાં નાગરિકો જોડાયા છે, એ બાબત તિરંગાની તાકાતને પ્રદર્શિત કરે છે. ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સૌ કોઈ માટે ગૌરવનું પ્રતીક બની રહે, તેવી શુભેચ્છાઓ સાંસદ સી.આર.પાટીલે વ્યક્ત કરી હતી અને આઝાદી માટે લડત આપનાર સૌ કોઈ સ્વાતંત્ર્ય વીરોને નત મસ્તકે વંદન કર્યા હતા.

હર ઘર તિરંગા યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ તિરંગાયાત્રીઓને આવકાર્યા હતા. યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે આયોજિત તિરંગા યાત્રાથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. આ યાત્રા નવસારીના સર.સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કુલ, ફુવારા સર્કલ, ગોલવાડ પોલીસ સ્ટેશન, ટાવર સર્કલ, જુનાથાણા, બસ સ્ટેશન, નવસારી સર્કીટ હાઉસ સર્કલ સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી સમાપન થઈ હતી. આ તિરંગા યાત્રામાં નવસારી પોલીસ દ્વારા ૭૫ મીટર લંબાઈનો તિરંગો પરેડ સાથે કાઢ્યો હતો જે સમગ્ર યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું .

 

આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ , નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ જિગીષ શાહ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પ્રાયોજના વહિવટદારશ્રી આન્નદુ સુરેશ, નવસારી ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ , પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

૭૫ મીટરની લંબાઈનો ત્રિરંગો, આરૂઢ જવાનો, એન.સી.સી.- સ્કાઉટ- પોલીસ-છાત્રો- શહેરીજનોની ગરિમામય ઉપસ્થિતિ

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *