નવસારી જિલ્લા કક્ષાએ ખેરગામ ખાતે યોજાનાર 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું
- Local News
- August 13, 2023
- No Comment
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આઈ.ટી.આઈ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું. નવસારી જિલ્લા પોલીસ અધિકક્ષક સુશીલ અગ્રવાલ અને અધિક નિવાસી કલેકટર કિરીટસિંહ વાઘેલા (ઇ.ચા) પણ તેમની સાથે પરેડ નિરીક્ષણમાં જોડાયા હતા.

કલેકટર અમિત પ્રકાશ યાદવએ રિહર્સલ અંતર્ગત નિર્ધારિત સમય પ્રમાણે ધ્વજવંદન કર્યું હતું. પોલીસકર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને નવસારી જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.