નવસારીના રામજી મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો 

નવસારીના રામજી મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો 

નવસારી જિલ્લા વહિવટીતંત્ર પ્રેરિત આર્ટ ઓફ લિવીંગ પરિવાર દ્વારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ આજરોજ રામજીમંદિર, દુધિયા તળાવ ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય લઘુમતી આયોગના ઉપાધ્યક્ષ કેરસી દેબુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે,  રક્તદાન કરવુ બીજા લોકો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે તેમજ રક્તદાતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકો આવી રકતદાન કરે તેમ જણાવી, મિત્ર વર્તુળ, સગાસબંધીઓને કેમ્પ વિશે જાણકારી આપી બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે કલેકટરે નવા રકતદાતાઓને અવકાર્યા હતાં અને કાયમી રકતદાન કરનાર દાતાઓને બિરદાવ્યા હતાં.આ બ્લડ ડોનેશન કેમ્પમાં કલેકટર, પ્રાંત અધિકારી આર.આર.બોરડ, ચીફ ઓફિસર જે.યુ.વસાવા, પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે પણ રકતદાન કર્યુ હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *