મોબાઈલ તથા વેબ ગેમિંગના એપ્લિકેશન અંગે ગુજરાત પોલીસ ફરિયાદ દાખલ બાદ ઈ ડી ત્રાટકી

મોબાઈલ તથા વેબ ગેમિંગના એપ્લિકેશન અંગે ગુજરાત પોલીસ ફરિયાદ દાખલ બાદ ઈ ડી ત્રાટકી

ગુજરાતમાં ઈડી દ્વારા ગત બુધવારે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ધની દાતા નામની વેબ ગેમિંગ એપ્લિકેશન દ્વારા થયેલા કરોડોના કૌભાંડના સંબંધમાં ગુજરાત પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદ, કચ્છ, નવસારી અને દિલ્હીમાં 14 સ્થળોએ દરોડા પડ્યા હતા. આ સ્થળોએ દરોડાની કામગીરી દરમિયાન ઈડી એ દસ્તાવેજો, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

• વેબ ગેમિંગ એપ્લિકેશન દ્વારા થયેલા કરોડોના કૌભાંડના સંબંધમાં ગુજરાત પોલીસ ફરિયાદ બાદ હવે ઈડી નું ત્રાટક્યું

• ED દ્વારા અમદાવાદ, કચ્છ, નવસારી અને દિલ્હીમાં 14 સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા

• વેબ ગેમિગ એપ્લિકેશનમાં હજારો લોકોના કરોડો રૂપિયાની રકમ ફસાયા 

પોલીસ બાદ ED એક્શન મોડમાં આવી હતી 

ધની ની દાતા વેબ ગેમિંગ એપ્લિકેશન ઠગાઈ મામલે EDએ હવે સકંજો કસ્યો છે. જેમાં ગુજરાતમાં સાયબર ક્રાઈમ દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ ED પણ ત્રાટક્યું હતું અને 14 સ્થળોએ દરોડા પાડયા હતા. ચીની મૂળના શખ્સે 2021માં શરૂ કરેલી એપ્લિકેશન 2022માં બંધ થઈ જતા આ કૌભાંડ બહાર આવ્યું હતું. આ એપ્લિકેશનમાં પ્રતિ ગેમમાં ઓછામાં ઓછો 0.75 ટકા રિટર્ન આપવાનો દાવો કરવામાં આવતો હતો. આ વેબ ગેમિગ એપ્લિકેશનમાં હજારો લોકોની કરોડોની રકમ ફસાઈ હોવાની માહિતી મળી રહી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન ઈલેક્ટ્રોનિક સાધનો સહિત કેટલાક દસ્તાવેજ પણ ઈડી ના અધિકારીઓએ જપ્ત કર્યા હતા. આ દસ્તાવેજની વિગતવાર તપાસ બાદ સ્ફોટક ખુલાસા થઈ શકે છે.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *