શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

પ્રભુ મહાવીરના ૨૫૫૦ નિર્વાણ વર્ષના પ્રારંભના ઉ૫લક્ષમાં શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી આદિનાથ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, શાંતાદેવી રોડ, નવસારી ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવસારી નગરમાં ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૦ નિર્વાણ વર્ષના મહોત્સવમાં અવસર પ્રાપ્ત થયો છે. જે બદલ આભાર વ્યકત કર્યો હતો. જૈન સંઘના ટ્રસ્ટ્રીઓ ભગવાન મહાવીરના વિચારોને બાળકોને સુધી પહોંચાડી તેમના જીવનમાં ઉજાસ લાવવા જણાવ્યું હતું. ભગવાન મહાવીરના વિચારોને જૈન સમાજ સુધી મર્યાદિત ન રાખતા દરેક સમાજ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રીએ રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા પણ જણાવ્યું હતું.

રાજયમંત્રી હર્ષ સંઘવીએ આશાનગર નવસારી ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ આયોજીત વસ્ત્રદાન કાર્યક્રમમાં જણાવ્યું કે, યુવક બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે અને એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના સૌ નાગરિકો દિવાળી પૂર્વે સાફ સફાઇ કરવામાં આવે છે. કામ વગરની વસ્તુઓ કાઢી નાંખવામાં આવે છે. જેને ગુજરાતના યુવક બોર્ડ દ્વારા ગુજરાતમાં એક લાખ થી વધારે ઘરોમાં જઇને તેમના જૂના કપડા મેળવીને સામાન્ય અને ગરીબ લોકોને વસ્ત્ર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગરીબોના ઘરમાં દિવાળીનો પ્રકાશ વધે તેવા પ્રયાસ કરવામાં આવશે.

આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ મીનલબેન દેસાઇ, જૈન શ્રેષ્ઠીઓ, નગરજનો ઉપસ્થિત રહયાં હતાં.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *