મોર્નિંગ ઉપર નીકળેલા વાંસદા તાલુકાના મામલતદાર મનસુખભાઈ વસાવાનું કચેરી આગળ પટકાતા મોત નીપજ્યું, હદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ

મોર્નિંગ ઉપર નીકળેલા વાંસદા તાલુકાના મામલતદાર મનસુખભાઈ વસાવાનું કચેરી આગળ પટકાતા મોત નીપજ્યું, હદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મામલતદાર તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ વસાવા આજે વહેલી સવારે મામલતદાર કચેરી પાસે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી હતી. સ્ટાફ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા.

વાંસદાના મામલતદાર મનસુખભાઈ વસાવા આજે વહેલી સવારે મોર્નિંગ વોક કરતા હોવાની માહિતી તેમના નજીકના કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. જેમાં તેઓ વહેલી સવારે સંભવિત રીતે હૃદય રોગના હુમલાને કારણે ઓટલા પરથી નીચે પટકાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

જેમાં મનસુખભાઈ વસાવા પગ તથા હાથમાં ફ્રેક્ચર થયું હતું.નીચે પટકાયા બાદ એકાએક હૃદય રોગનો હુમલો આવતા તેવો મોતને ભેટ્યા હતા. મનસુખભાઈ વસાવા વર્ષ 2021થી વાંસદા તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વર્ષ 2024 ઓક્ટોબર માસમાં તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા, તેમના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરી છે.

આ ધટનાની જાણ પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલ સહિતના સ્ટાફે તથા તાત્કાલિક દોડી આવી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ હોસ્પિટલ ખસેડવાની તજવીત શરૂ કરી છે.  પ્રાંત અધિકારી જણાવ્યાનુસાર વહેલી સવારે તેઓ મોર્નિંગ વોક કરે છે. આજે તેઓ પોતાની કચેરી પાસેથી મોર્નિંગ વોક કરી રહ્યા હતા. તે દરમિયાન એક મોટા ઓટલા તેઓ ચાલતા હતા તે દરમિયાન એકાએક નીચે તેઓ પટકાયા હતા. જેમા તેઓ ના પગ અને હાથમાં ફ્રેક્ચર થયું હતું સાથે તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *