મોર્નિંગ ઉપર નીકળેલા વાંસદા તાલુકાના મામલતદાર મનસુખભાઈ વસાવાનું કચેરી આગળ પટકાતા મોત નીપજ્યું, હદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ

મોર્નિંગ ઉપર નીકળેલા વાંસદા તાલુકાના મામલતદાર મનસુખભાઈ વસાવાનું કચેરી આગળ પટકાતા મોત નીપજ્યું, હદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મામલતદાર તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ વસાવા આજે વહેલી સવારે મામલતદાર કચેરી પાસે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી હતી. સ્ટાફ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા.

વાંસદાના મામલતદાર મનસુખભાઈ વસાવા આજે વહેલી સવારે મોર્નિંગ વોક કરતા હોવાની માહિતી તેમના નજીકના કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. જેમાં તેઓ વહેલી સવારે સંભવિત રીતે હૃદય રોગના હુમલાને કારણે ઓટલા પરથી નીચે પટકાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

જેમાં મનસુખભાઈ વસાવા પગ તથા હાથમાં ફ્રેક્ચર થયું હતું.નીચે પટકાયા બાદ એકાએક હૃદય રોગનો હુમલો આવતા તેવો મોતને ભેટ્યા હતા. મનસુખભાઈ વસાવા વર્ષ 2021થી વાંસદા તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વર્ષ 2024 ઓક્ટોબર માસમાં તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા, તેમના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરી છે.

આ ધટનાની જાણ પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલ સહિતના સ્ટાફે તથા તાત્કાલિક દોડી આવી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ હોસ્પિટલ ખસેડવાની તજવીત શરૂ કરી છે.  પ્રાંત અધિકારી જણાવ્યાનુસાર વહેલી સવારે તેઓ મોર્નિંગ વોક કરે છે. આજે તેઓ પોતાની કચેરી પાસેથી મોર્નિંગ વોક કરી રહ્યા હતા. તે દરમિયાન એક મોટા ઓટલા તેઓ ચાલતા હતા તે દરમિયાન એકાએક નીચે તેઓ પટકાયા હતા. જેમા તેઓ ના પગ અને હાથમાં ફ્રેક્ચર થયું હતું સાથે તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *