મોર્નિંગ ઉપર નીકળેલા વાંસદા તાલુકાના મામલતદાર મનસુખભાઈ વસાવાનું કચેરી આગળ પટકાતા મોત નીપજ્યું, હદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ

મોર્નિંગ ઉપર નીકળેલા વાંસદા તાલુકાના મામલતદાર મનસુખભાઈ વસાવાનું કચેરી આગળ પટકાતા મોત નીપજ્યું, હદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મામલતદાર તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ વસાવા આજે વહેલી સવારે મામલતદાર કચેરી પાસે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી હતી. સ્ટાફ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા.

વાંસદાના મામલતદાર મનસુખભાઈ વસાવા આજે વહેલી સવારે મોર્નિંગ વોક કરતા હોવાની માહિતી તેમના નજીકના કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. જેમાં તેઓ વહેલી સવારે સંભવિત રીતે હૃદય રોગના હુમલાને કારણે ઓટલા પરથી નીચે પટકાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

જેમાં મનસુખભાઈ વસાવા પગ તથા હાથમાં ફ્રેક્ચર થયું હતું.નીચે પટકાયા બાદ એકાએક હૃદય રોગનો હુમલો આવતા તેવો મોતને ભેટ્યા હતા. મનસુખભાઈ વસાવા વર્ષ 2021થી વાંસદા તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વર્ષ 2024 ઓક્ટોબર માસમાં તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા, તેમના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરી છે.

આ ધટનાની જાણ પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલ સહિતના સ્ટાફે તથા તાત્કાલિક દોડી આવી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ હોસ્પિટલ ખસેડવાની તજવીત શરૂ કરી છે.  પ્રાંત અધિકારી જણાવ્યાનુસાર વહેલી સવારે તેઓ મોર્નિંગ વોક કરે છે. આજે તેઓ પોતાની કચેરી પાસેથી મોર્નિંગ વોક કરી રહ્યા હતા. તે દરમિયાન એક મોટા ઓટલા તેઓ ચાલતા હતા તે દરમિયાન એકાએક નીચે તેઓ પટકાયા હતા. જેમા તેઓ ના પગ અને હાથમાં ફ્રેક્ચર થયું હતું સાથે તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *