ગણદેવી તાલુકાના વાઘરેચ ગામે બુનિયાદી મિશ્રશાળા સાર્ધ શતાબ્દી મહોત્સવ : ૧૬૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નાં સન્માન કરાયા

ગણદેવી તાલુકાના વાઘરેચ ગામે બુનિયાદી મિશ્રશાળા સાર્ધ શતાબ્દી મહોત્સવ : ૧૬૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નાં સન્માન કરાયા

ગણદેવી તાલુકા નાં વાઘરેચ ગામે ૧૫૦ વર્ષ અગાઉ બુનિયાદી મિશ્રશાળાની સ્થાપના કરાઈ હતી. ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ નાં અધ્યક્ષ સ્થાને શાળામાં રવિવાર સવારે ૧૫૦ વર્ષ નિમિતે ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’ ની ઉજવણી કરાઈ હતી. સાંસ્કૃતિક રંગારંગ કૃતિઓ એ ઉપસ્થિતો નાં મન મોહી લીધા હતા.

વાઘરેચ બુનિયાદી મિશ્ર શાળા માં રવિવારે સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. સમગ્ર પંથક માં ૧૫ દાયકા અગાઉ શિક્ષણ ની જ્યોત જગાવનાર શાળા નાં અનેક સંસ્મરણો તાજા કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ સહિત અગ્રણીઓ એ શિક્ષણ ની મહત્તા સમજાવી હતી. અહીં શુક્રવારે સરસ્વતી યજ્ઞ સાથે સાર્ધ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરાઈ હતી. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન કરાયા હતા. ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ પ્રમુખસ્થાને સાર્ધ શતાબ્દી મહોત્સવ માં સ્વાગત ગીત, પ્રાર્થના, માઈમ, બાળગીત, અભિનય ગીત, નાટક, શૌર્યગીત, ગરબા જેવી ૧૬ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ શાળામાં અભ્યાસ કરીને વિવિધ સરકારી વિભાગોમાં તેમજ ખાનગી વિભાગો ઉપરાંત પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સફળતા મેળવનાર ૧૬૦ જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બહાર દેશમાં વસવાટ કરતાં NRI નું અને શાળાના વિકાસ માટે બહુમૂલ્ય ફાળો આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ વાલીજનો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.

સમગ્ર કાર્યક્રમને મોજ થી નિહાળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ, વાઘરેચ સરપંચ સુજીત પટેલ, બિપીનચંદ્ર પટેલ, મહેન્દ્ર પટેલ, નઝીરહુસેન મોહમદ તાઈ, કલ્પેશ ટંડેલ, અમીત ટંડેલ, ઉત્કર્ષ પટેલ, સતીષ આહીર સહિત અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *